________________
यदि भव-भ्रमखेदपराङ्गमुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । श्रुणुत तत्सुधियः शुभ-भावनामृतरसं, मम शान्तसुधारसम् ॥३॥
હે બુદ્ધિમાન સજ્જનો, જો તમારું ચિત્ત ભવભ્રમણની કથાથી, થાકથી ઉદ્વેગ પામ્યું હોય, અને અનંત સુખમય મોક્ષ પ્રાપ્ત કરવા તત્પર બન્યું હોય, તો શુભ ભાવનાના અમૃતરસથી ભરપૂર મારો આ “શાન્તસુધારસ” ગ્રંથ એકાગ્ર મનથી સાંભળતા રહો.” આ ઉપદેશ પવિત્ર બુદ્ધિમાનોનેઃ
ઉપાધ્યાયજી જે સુધિય’ સારી બુદ્ધિવાળા છે, એવા લોકોને પોતાનો આ ‘શાન્ત સુધારસ' ગ્રંથ સાંભળવાનું કહે છે. બુદ્ધિશાળીઓને સાંભળવાનું કહે છે.' સુંદર, પવિત્ર બુદ્ધિવાળા લોકોને સાંભળવાનું નિમંત્રણ આપે છે. ખૂબ જ મહત્ત્વની વાત છે એમની. એમને મૂર્ખ શ્રોતાઓની જરૂર નથી, તેમને તો જરૂર છે સુધિય’ શ્રોતાઓની, પવિત્ર - નિર્મળ બુદ્ધિવાળા શ્રોતાઓની.
ધર્મોપદેશ કોઈને કોઈ એક અપેક્ષાથી આપવામાં આવે છે. જે અપેક્ષાથી ઉપદેશ આપવામાં આવે છે, તે અપેક્ષાને સમજનારા શ્રોતાઓ જોઈએ. મૂર્ખ, સામાન્ય બુદ્ધિવાળા શ્રોતા વક્તાની અપેક્ષાને સમજી શકતા નથી. મલિન બુદ્ધિવાળા શ્રોતાઓ અભિપ્રાયને સમજી શકતા નથી. એટલે તે અર્થનો અનર્થ કરી બેસે છે. એટલા માટે વક્તાએ શ્રોતાઓની બૌદ્ધિક યોગ્યતા જાણવી જોઈએ. તેમની ધાર્મિક સાંપ્રદાયિક માન્યતાઓને જાણવી જોઈએ.
શ્રોતાઓની યોગ્યતા સમજીને ઉપદેશ આપવાનો હોય છે. ઉપદેશનો વિષય, ઉપદેશની ભાષા પણ શ્રોતાઓની યોગ્યતા અનુસાર હોવી જોઈએ.
અમે લોકો એક શહેરમાં ગયા. ઉપાશ્રયના ટ્રસ્ટીએ કહ્યું: “થોડા દિવસો પહેલાં એક મોટા મુનિરાજ આવ્યા હતા, મોટા જ્ઞાની અને પંડિત હતા. તેમનું પ્રવચ સારું હતું. અમે લોકો તો સમજી પણ ન શક્યા. તેમણે સાપેક્ષવાદ, નય, નિક્ષેપ વગેરેની વાતો કરી, પરંતુ અમે કશું જ સમજી ના શક્યા, ખૂબ મોટા પંડિત, વિદ્વાનું.'
છે ને બુદ્ધિમાન લોકો! જે વિદ્વાનુ. શ્રોતાઓ સમજી શકતા નથી એવો ઉપદેશ આપે છે. તેવા પંડિત ! તમારા ભેજામાં ન ઊતરે તેવું બોલે તે પંડિત !
ઉપાધ્યાયજી એવા શ્રોતાઓ ઈચ્છે છે કે જે નિર્મળ, પવિત્ર બુદ્ધિવાળા હોય, જૈન પરિભાષાને જાણનારા હોય, જેને પરિભાષાનું જ્ઞાન શ્રોતાઓને હોવું જ જોઈએ. જેમ પહેલા જ શ્લોકમાં પંચાસવ’ શબ્દ આવ્યો. પાંચ આસવ. જો આસ્રવે’ શબ્દની પરિભાષાનું જ્ઞાન નહીં હોય તો શું સમજશે? અને પ્રવચન દરમિયાન પારિભાષિક
શાન્તસુધારસ: ભાગ ૧