SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ ગ્રંથની ચોથી ‘એકત્વ ભાવના’માં કહે છે : एकतां समतोपेता - मेनामात्मन् विभावय । लभस्व परमानन्दसंपदं नमिराजवत् ॥ પ્ ॥ ‘હે આત્મ, સમત્વભાવની સાથે તું આત્માના એકત્વની અનુભૂતિ કરીને, નિમરાજર્ષની જેમ તું પણ પરમ આનંદનો ખજાનો પ્રાપ્ત કરી શકીશ.' મિથિલાના રાજા નમિને પાંચસો રાણીઓ હતી. અપાર રાજ્ય-સમૃદ્ધિનો તે માલિક હતો. એક દિવસે તેના શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો. વૈદ્યોએ અનેકવિધ ઉપચારો કર્યા. પરંતુ તેનો દાહજ્વર શાન્ત ન થયો. શરીર ઉપર ચંદનનો લેપ કરવા માટે તેની બધી રાણીઓ ચંદન ઘસવા લાગી. રાણીઓના હાથ પર અનેક કંકણ હતાં. એ કંકણોના ઘર્ષણથી અવાજ આવતો હતો, વધારે અવાજ આવતો હતો. એ અવાજ મિરાજાથી સહન થતો ન હતો. તેને ખબર ન હતી કે આ અવાજ રાણીઓનાં કંકણોનો આવે છે. તેણે કહ્યું : ‘આ અવાજ બંધ કરો.’ રાણીઓએ તરત જ સૌભાગ્યનું એક એક કંકણ રાખીને બાકીનાં કંકણો ઉતારી દીધાં. અવાજ બંધ થઈ ગયો. રાજાએ પૂછ્યું ઃ ‘હવે અવાજ કેમ બંધ થઈ ગયો ?’ રાણીઓએ પ્રત્યુત્તર આપ્યો ઃ ‘સ્વામી, અમારા હાથ ઉપર અનેક કંકણો હતાં, એટલે પરસ્પર ઘર્ષણને લીધે અવાજ થતો હતો. અમે સૌભાગ્યનું એક એક કંકણ રાખીને બાકીનાં ઉતારી દીધાં, એટલે અવાજ બંધ થઈ ગયો.’ રાણીઓએ આ વાત સહજ ભાવે કરી હતી, પરંતુ મિરાજાએ એનો આધ્યાત્મિક અર્થ કર્યો - ‘અનેકમાં સંઘર્ષ છે, એકમાં શાન્તિ છે. અનેકમાં દુઃખ છે, એકમાં સુખ છે – એકત્વ અને સમત્વમાં જ શાન્તિ અને સુખ છે. એટલા માટે મારો દાહજ્વર શાન્ત થતાં આ સંસારનો ત્યાગ કરીશ, અણગાર બનીશ.' નમિરાજા અને ઇન્દ્રનો સંવાદ : નિમરાજાનું શરીર નીરોગી થાય છે. તે ‘પ્રત્યેક બુદ્ધ’ બને છે. એટલે કે કોઈનાય દ્વારા ઉપદેશ પામ્યા વિના વિરાગી - વિરક્ત બનીને અણગાર બને છે. મિથિલાનો રાજપરિવારનો, રાજઋદ્ધિનો ત્યાગ કરીને ચાલી નીકળે છે, ત્યારે દેવરાજ ઇન્દ્ર પોતાના અવધિજ્ઞાનથી નિમરાજાને જુએ છે. ઇન્દ્રને આશ્ચર્ય થાય છે. નમિરાજાનો વૈરાગ્ય દુઃખગર્ભિત છે અથવા જ્ઞાનગર્ભિત છે, એ જાણવા ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે અને નમિરાજાને મળીને પ્રશ્ન પૂછે છે. નમિરાજા સમભાવથી કેવો જ્ઞાનગર્ભિત ઉત્તર આપે છે તે બધું ગઈ કાલના પ્રશ્નોત્તરોમાં શાન્તસુધારસ : ભાગ ૧ ૨૪૬
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy