SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ હે બ્રાહ્મણ, આત્માએ આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. અનાચારોમાં પ્રવૃત્ત આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. બહારના દુશ્મનોની સાથે લડવાથી શું લાભ? આત્માથી આત્મા ઉપર વિજય પામનારો મુનિ પરમ સુખ પામે છે. पंचिन्दियाणी कोहं माणं माणं तहेव लोभं च । दुज्जयं चे व अप्पाणं सव्वमप्पे जिए जिअं ॥ ९/३६ હે બ્રાહ્મણ, પાંચ ઇન્દ્રિયો - ક્રોધ, માન, માયા, લોભ અને દુર્જયમન - આ બધાં આત્મવિજય પ્રાપ્ત થતાં સહજતાથી જીતી શકાય છે. એટલા માટે બહારના શત્રુઓની ઉપેક્ષા કરીને હું આત્મજય પામવામાં પ્રયત્નશીલ છું. આત્મજય પ્રાપ્ત થયા પછી બધું જ જીતી શકાય છે. હજુ તો હું તમને ઈન્દ્ર અને નમિરાજર્ષિના પ્રશ્ન ઉત્તરો જ સંભળાવી રહ્યો છું. નમિરાજર્ષિ બ્રાહ્મણવેશધારી ઈન્દ્રને જે ઉત્તરો આપી રહ્યા છે, એની એક એક વાત ઉપર એક એક પ્રવચન આપી શકાય તેમ છે. પરંતુ, એટલું દીર્ઘ પ્રવચન આપવું નથી. તમે લોકો બુદ્ધિશાળી છો ને? સંક્ષેપમાં સમજી ગયા હશો. ખૂબ સરળ ભાષામાં બધી વાતો સમજાવી છે. મહત્ત્વપૂર્ણ વાતો બે છે - સમત્વની અને એકત્વની. નમિરાજર્ષિ ઇન્દ્રને કેટલા સમભાવથી ઉત્તર આપે છે? એમની અંદર આત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવાની કેટલી ઉત્કટ ભાવના છે ? તે અંદરથી કેટલા સંતુષ્ટ હશે? એટલા માટે તો તેમણે કહ્યું હું વસામો નવાનો અમે સુખપૂર્વક રહીએ છીએ અને જીવીએ છીએ. ખૂબ મહત્ત્વપૂર્ણ વાત છે આત્માની મસ્તીમાં સુખપૂર્વક રહેવું અને જીવવું ! બીજું શું જોઈએ? ઇન્દ્ર અને નમિરાજર્ષિનો સંવાદ આજે અહીં પૂર્ણ કરીએ છીએ. બાકી રહેતા પ્રશ્નોત્તર કાલે બતાવીશ. આજે બસ, આટલું જ. ૨૪૪ શાન્તસુધારસ : ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy