________________
હતું? જિનવાણીનો ઉપકાર હતો. જિનવાણીએ ચક્રવર્તીની રક્ષા કરી. ડાકુ નરવીરઃ જિનવાણીથી ઉપશાન્ત :
રાજા કુમારપાળનો પૂર્વભવ જાણો છો ? પૂર્વજન્મમાં એ ડાકુ હતા. નામ હતું નરવીર. ગુજરાત અને માલવાની સીમા ઉપર એનો અડ્ડો હતો. ડાકુઓની એક ટોળી હતી. હજારો મુસાફરોને લૂંટ્યા હતા, માર્યા હતા. પરંતુ એક દિવસે માલવદેશના રાજાના સૈનિકોને હાથે નરવીરની ટોળી મારી ગઈ, અને સૈનિકોના સરદારે (જે એક વેપારી હતો) નરવીરની સગભાં પત્નીને મારી નાખી. નરવીર પોતાના પ્રાણ બચાવવા ભાગી છૂટ્યો. સૈનિકોએ તેના અડ્ડાને કૂટી બાળ્યો.
નરવીર દૂર દૂર જંગલમાં પહોંચી ગયો. એક વૃક્ષની છાયામાં હતાશ, નિરાશ થઈને બેસી ગયો. તે થાકેલો હતો. તેનો સર્વનાશ થઈ ગયો હતો. એના મનમાં વેરની આગ સળગી રહી હતી. તે અત્યંત અશાન્ત, ઉદ્વિગ્ન અને ખિન્ન હતો.
થોડીક વાર પછી તે જંગલના રસ્તેથી કેટલાક જૈન સાધુઓ પસાર થતા હતા. નરવીરે એ સાધુઓને જોયા તે ઊભો થયો અને સૌથી આગળ આચાર્ય.ચાલતા હતા તેમની સામે જઈને પ્રણામ કર્યા. એ આચાર્ય હતા યશોભદ્રસૂરિજી.
યશોભદ્રસૂરિજીએ નરવીરને ધર્મલાભના આશીર્વાદ આપીને જિનવાણીનો ઉપદેશ આપ્યો. હિંસા વગેરે આગ્નવોના કટુ પરિણામો બતાવ્યા. ક્ષમાદિ ધમોનો શ્રેષ્ઠ પ્રભાવ બતાવ્યો. તેના હૃદયને શાન્ત - ઉપશાન્ત કર્યું. એકશીલા નગરીમાં મોકલ્યો. આઢર શેઠનો પરિચય કરાવ્યો. પરિણામ સ્વરૂપે એનું જીવન ધર્મમય બન્યું. મૃત્યુ સમાધિમય બન્યું અને બીજા ભવમાં તે રાજા કુમારપાળ બન્યો. આ ઉપકાર કોનો હતો? દુગતિમાં જતા નરવીરને કોણે બચાવ્યો? જિનવાણીએ ! યશોભદ્રસૂરિજીએ જિનવાણી સંભળાવી હતી ને!
આ રીતે આ દુનિયામાં જિનવાણીએ અસંખ્ય ઉપકાર કર્યા છે. દુર્ગતિમાં પડતા અસંખ્ય જીવોને બચાવ્યા છે. જિનવાણી અને કુમારપાળ :
નરવીરનું કેવું સૌભાગ્ય હતું કે બીજા જન્મમાં પણ તેને ડગલે ને પગલે એની રક્ષા કરનારી જિનવાણી મળી. નરવીરના જન્મમાં ગુરુદેવ યશોભદ્રસૂરિ મળ્યા હતા, કુમારપાળના જન્મમાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મળ્યા ! નરવીરના જન્મમાં સહાયક-સાધર્મિક આઢર શેઠ મળ્યા હતા, તેં કુમારપાળના ભવમાં ઉદયન મંત્રી મળ્યા!
કુમારપાળ રાજા બન્યા ૫૦ વર્ષની ઉંમરે. ૫૦ વર્ષ સુધી એમનું જીવન અનેક વિપત્તિઓમાંથી પસાર થયું હતું. તે અતિશય નિરાશામાં ડૂબી ગયા હતા. રાજા
પ્રસ્તાવના