________________
'નમો પત્યિવા તુમે I હે પાર્થિવ, હે રાજનું, તને અભય છે. મારા તરફથી તું નિર્ભય છે.'
રાજા નિર્ભય થયો. મનુષ્યને જ્યાં ભયંકર સજા મળવાની સંભાવના હોય ત્યાં તે કદાચ નિર્દોષ છૂટી જાય, તેને માફી મળી જાય, ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહેતો નથી. રાજાને અભય વચન સંભળાવ્યા પછી મુનિરાજે જિનવચન સંભળાવ્યાં છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના અઢારમા અધ્યાયમાં સાત ગાથાઓ કહી છે. જે મેં તમને સૌને સંભળાવી છે. આ બાજુ ગર્દભાલીમુનિએ શિકારી રાજાને સાત ગાથાઓ સંભળાવી હતી. મેં એ ગાથાઓ તમારા જેવા ધાર્મિક માણસોને સંભળાવી છે. આ જિનવચનો સાંભળીને શિકારી રાજા સાધુ બની જાય છે, શું તમે લોકો સાધુ બની જશો? તમે તો સારા માણસો છો ને? માંસાહાર નથી કરતા, શરાબ નથી પીતા, જુગાર નથી રમતા... વગેરે પાપો તો નથી કરતાને?
સભામાંથી અમારાં ચરિત્રો આપ નથી જાણતા...આપ અમને સારા માનો છો. પરંતુ અમે લોકો તો દુર્જનો કરતાંય દુર્જનો છીએ.
મહારાજશ્રી દુર્જનતાનો પશ્ચાત્તાપ થાય છે? જો પશ્ચાત્તાપ થશે તો એક દિવસે દુર્જનતા ચાલી જશે અને સજ્જનતા આવશે. જિનવચનોના પ્રભાવથી જ દુર્જન સજ્જન બની જાય છે. ભૂતકાળમાં બન્યા છે. વર્તમાનમાં બને છે અને ભવિષ્યમાં પણ બનશે. જિનવચનોનો આ જ ચમત્કાર છે !
' હવે હું તમને મુનિવર ગર્દભાલીએ સંજય રાજાને જે સાત ગાથાઓમાં જિનવચનો સંભળાવ્યાં છે તેની કેટલીક વિશેષતાઓ બતાવું છું. અભયદાતા બનો :
સૌ પ્રથમ વાત કરી અભયદાનની. સ્વયં મુનિરાજે રાજાને અભય કર્યો અને પ્રેરણા પણ અભયદાનની આપી. કારણ કે તે એ વનમાં શિકાર કરવા આવ્યો હતો. આજુબાજુ હજારો નિર્દોષ મૃગ ઊભાં હતાં. જાણે કે મુનિરાજ પાસે અભયની યાચના કરી રહ્યાં હતાં! એમને ભય હતો રાજા તરફથી. મુનિરાજે રાજાને અભયનો પ્રથમ ધર્મ બતાવ્યો - "તું મારી પાસે અભય ઇચ્છે છે, તેમ આમૃગો પણ તારી પાસે અભય ચાહે છે. તમામ જીવો અભય ઈચ્છે છે, મૃત્યુ કોઈ ઇચ્છતું નથી. અને ત્રાસ, સ્થાવર તમામ જીવોને અભયદાન માત્ર મહાવ્રતધારી સંયમી આત્મા જ આપી શકે છે. આ દ્રષ્ટિએ મુનિરાજે રાજાને સાધુધર્મ પ્રત્યે અણસાર આપ્યો. આગળ જઈને સ્પષ્ટ શબ્દોમાં સાધુધર્મની પ્રેરણા આપી.
૨૧.
શાન્તસુધારસ: ભાગ ૧