________________
इतो लोभः क्षोभं जनयति दुरन्तो दव इवोल्लसंल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला, कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥७॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ' ગ્રંથમાં ત્રીજી “સંસાર ભાવનાનો પ્રારંભ કરતાં કહે છેઃ “આ એક ભયાનક ભવ-વન છે. ઘનઘોર જંગલ છે. આ વનમાં લોભનો દાવાનળ ભડકે બળી ઊઠ્યો છે. તેને શાન્ત કરવો, હોલવવો શક્ય નથી. લાભપ્રાપ્તિનાં લાકડાંથી આ દાવાનળ વધારે ને વધારે ભભૂકી રહ્યો છે. આ બાજુ મૃગતૃષ્ણા જેવી વિષયેલાલસા, જીવોને ઘોર પીડા આપી રહી છે. આવા ભીષણ ભવ-વનમાં નિશ્ચિત થઈને આરામથી કેવી રીતે રહી શકાય?” ભીષણ છે સંસાર:
સંસારને ઘોર - ભયંકર જંગલની ઉપમા આપવામાં આવી છે. સંસારની ચાર ગતિઓ છે - દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નર્કગતિ. ચારેય ગતિઓમાં દુઃખ છે, અશાન્તિ છે, ક્લેશ અને સંતાપ છે. એટલા માટે સંસારને ભીષણ-રૌદ્ર જંગલની ઉપમા આપવામાં આવી છે, અને એટલા માટે સંસારમાંથી શીઘાતિશીધ્ર બહાર નીકળી જવાની પ્રેરણા તીર્થંકરોએ આપી છે. મુક્તિ-મોક્ષ પામવા માટે ઉપદેશ આપ્યો છે.
પરંતુ સંસારની બે ગતિઓમાં સુખનો આભાસ દેખાય છે. દેવગતિ અને મનુષ્યગતિમાં જીવોને વૈષયિક સુખ સુખરૂપ દેખાય છે. જેવી રીતે રણપ્રદેશમાં દૂરથી પાણીનો આભાસ થાય છે. એ સુખનો આભાસ જ હોય છે. પાણી નથી હોતું છતાં પાણી દેખાય છે મૃગને, અને તે પાણી પીવા દોડે છે. એ જ રીતે સ્વર્ગમાં અને મનુષ્યલોકમાં સુખાભાસોને સુખ સમજીને જીવ એ વૈષયિક સુખો માટે દોડતો રહે
આ છે સુખતૃષ્ણાનો દાવાનળ ! સુખલોભનો દાવાનળ! સમગ્ર સંસારમાં આ દાવાનળ બળી રહ્યો છે, ભભૂકી રહ્યો છે. જેમ જેમ જીવને ભ્રમણાનાં સુખોની ભ્રાન્તિ પ્રાપ્ત થાય છે તેમ તેમ દાવાનળમાં વૈષયિક સુખપ્રાપ્તિનાં) લાકડાં પડતાં જાય છે. દાવાનળની જ્વાળાઓ સળગતી જ રહે છે, બુઝાતી નથી. આવા સંસારમાં જીવાત્માને સ્વસ્થતા, શાન્તિ, પ્રસન્નતા કેવી રીતે રહે? દાવાનળમાં ફસાયેલા જીવોની અશાંતિ, સંતાપ અને પીડા જોવી હોય તો કોઈ બળતા ઘરમાં ફસાઈ ગયેલા લોકોને જોજો
૧૭૪ ]
શાન્ત સુધારસઃ ભાગ ૧ |