SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સુખશાન્તિ અને માનસિક સ્વાથ્ય પ્રાપ્ત કરી લેશે - આ અનુમાન સર્વથા ખોટું સાબિત થયું છે. યાદ રાખો કે જાતીય સુખ જ મનુષ્યની એકમાત્ર આવશ્યકતા નથી. મનુષ્યની બીજી અનેક માનસિક અને આધ્યાત્મિક આવશ્યકતાઓ હોય છે. જો કે તે વધારે પ્રમાણમાં મહત્ત્વની છે. જો એ આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં ન આવે તો માનસિક રુગ્ણતા ઉત્પન્ન થશે. આજે પશ્ચિમી દેશોની હૉસ્પિટલોમાં અધથી વધારે પથારીઓ શારીરિક નહીં, માનસિક રોગીઓની જોવા મળે છે. અત્યારે તો ભારતમાં પણ માનસિક રોગીઓ વધી રહ્યા છે. મેન્ટલ હૉસ્પિટલો પણ વધી રહી છે. ત્યાં કિશોરો અને યુવકોની આત્મહત્યાઓ પણ વધી રહી છે. એનાથી મનોવૈજ્ઞાનિકો ચિંતિત થઈ રહ્યા છે. આ રીતે સર્વ માનવસંબંધોમાં જાતીયવૃત્તિનું જ પ્રાધાન્ય જોવું એ પણ વિકૃત વૃષ્ટિ છે. પ્રેમ, મૃદુતા, તાદાભ્ય, સહાનુભૂતિ, ઉષ્માપૂર્ણ કોમલ વ્યવહાર વગેરે પવિત્ર માનવીય અનુભૂતિઓ છે. તેમને જાતીયવૃત્તિ સાથે જોડવી એ મૂર્ખતા છે. તમામ બાબતો સેક્સનાં ચશ્માંથી જોવાની ફેશન થઈ ગઈ છે. મહાપુરુષોના મૃદુ પ્રેમપૂર્ણ વ્યવહારોમાં પણ એવાં છિદ્રાન્વેષી સંશોધનો થતાં રહે છે, પરંતુ એ માત્ર વ્યર્થ બૌદ્ધિક વ્યાયામ માત્ર છે. વાસ્તવમાં કામવૃત્તિનું પ્રેમ, મૃદુતા, આત્મીયતા વગેરેથી ભરપૂર માનવીય વ્યવહારોમાં રૂપાંતર કરવું એ મનુષ્ય માટે સારો પ્રયત્ન છે. કામવૃત્તિનું ઊર્ધીકરણ કરવું જોઈએ. આવું ઊર્ધ્વીકરણ નહીં થાય તો સ્થૂળ કામવૃત્તિ જ અતિબળવાન થતી જશે, આ સર્વસામાન્ય અનુભવ છે. ઉન્માર્ગગામી માનસશાસ્ત્ર: કામવૃત્તિના ઊધ્વકરણના વિષયમાં વર્તમાન માનસશાસ્ત્રીનું ધ્યાન રહ્યું જ નથી. માનસશાસ્ત્રીઓએ ન્યાય, સંયમ, આત્મોન્નતિ જેવાં ઉચ્ચતમ તત્ત્વોને સર્વથા ભુલાવી દીધો છે. “એરિક ફ્રોમ' જેવા થોડાક જ વૈજ્ઞાનિકોએ માનવસ્વભાવની ઊર્ધ્વ સંભાવનાઓ ઉપર આધારિત વસ્તુનિષ્ઠ નીતિશાસ્ત્ર - 'Objective ethics' - ની વાતો કરી છે, તો એમને “અવૈજ્ઞાનિક' કહીને એમની ઉપેક્ષા કરી દીધી. યુગ જેવા મનોવૈજ્ઞાનિકે કહ્યું કે “માનવસ્વભાવમાં કામવૃત્તિ જેવો જ પ્રભાવ Religious Functionનો - ધાર્મિક વૃત્તિનો રહ્યો છે. એને પણ ‘અવૈજ્ઞાનિક' કહીને મહત્વહીન બનાવ્યો. આની કડક આલોચના-ટીકા કરતાં એરિક ફ્રોમ કહે છે - આજનું માનસશાસ્ત્ર, મનુષ્યના વિકાસ માટે ગંભીર ખતરો બની ગયું છે. માનસશાસ્ત્રનો બિઝનેસ કરવાવાળાઓએ મોજ-મજા, ઉપભોગ અને - અનિત્ય ભાવના ૧૦૭
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy