________________
यदपि पिण्याकतामंङ्गमिदमुपगतं भुवन-दुर्जयजरापीत-सारम् । तदपि गतलज्जमुज्झति मनो नांगिनां,
वितथमति-कुथित मन्मथ-विकारम् ॥ કામવિકારોનું પ્રાબલ્ય બતાવતાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે : જરાથી સત્ત્વહીન અને ક્ષીણ દેહવાળા જીવોનું નિર્લજ મન કે જે આ જગતમાં અતિ દુર્જય છે, તે કામવિકારોનો ત્યાગ કરી શકતું નથી. આ કેટલી શરમભરી વાત
છે !'
કામવિકારોની પ્રબળતા:
યૌવનને કામવિકારોનો કડાકાળ જ ગણ્યો છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ કામવાસના છૂટતી નથી. મન કામવાસનામાં રમમાણ રહે છે, આ વાત સર્વ જ્ઞાનીજનોને શરમજનક, લજ્જાસ્પદ અને ધિક્કારપાત્ર લાગી છે.
गात्रं संकुचितं, गति विगलिता, दंताश्च नाशं गता, दृष्टि भ्रस्यति, स्पमेव हसते, वक्त्रं च लालायते । वाक्यं नैव करोति बान्धवजनः, पत्नी न सुश्रूयते, धिक् कष्टं हा जराभिभूत पुरुषं पुत्रोऽप्यवज्ञायते ॥ વૃદ્ધાવસ્થામાં શરીર સંકુચિત થઈ જાય છે. એટલે કે શરીર ઉપર કરચલીઓ પડી જાય છે. ગતિ સ્તુલિત થઈ જાય છે. દાંત પડી જાય છે. આંખે ઝાંખપ આવે છે - નિસ્તેજ થઈ જાય છે. રૂપ-લાવણ્ય ઘટી જાય છે. મુખમાંથી લાળ ટપકે છે... બંધુજનો એની આજ્ઞા નથી માનતાં. પત્ની પણ એની સેવા કરતી નથી. એટલા માટે જરાવસ્થાથી પરાભૂત પુરુષને ધિક્કાર છે. કારણ કે આવી કરુણાસ્પદ સ્થિતિમાં પણ એનું મન કામવાસનાનો ત્યાગ કરતું નથી. કામવાસના વૃદ્ધ થતી નથી.”
વૃદ્ધાવસ્થાને ગુજરાતી ભાષામાં “ઘડપણ' કહે છે. આ “ઘડપણ' ઉપર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીના જ શિષ્ય રૂપવિજયજીએ એક કાવ્ય લખ્યું છે. સુંદર કાવ્ય છે. સાંભળોઃ
ઘડપણ કાં તું આવિયો? તુજ કોણ જુએ છે વાટ ? તું સહુને અળખામણો રે, જેમ માંકડ ભરી ખાટ,
ઘડપણ કોણે મોકલ્યું રે! ગતિ ભાંગે તું આવતાં રે, ઉઘમ ઊઠી રે જાય, અનિત્ય ભાવના
૧૦૧