________________
ખાદિમ' એટલે શ્રીફળ, નારંગી, મોસંબી, ફળ-ફળાદિ દ્વારા પૂજા.
“સ્વાદિમ' તજ-લવિંગ, નાગરવેલના પાન, એલચી-સોપારી આદિ આ ચાર પ્રકારે પૂજા કરવાથી વિશિષ્ટ લાભો મળે છે. ઘરમાં બનતી નવી મિઠાઈ કે જમણવાર વખતે અથવા રોજ એક થાળી ભરીને ભગવાનને આ થાળી ચડાવવી જોઈએ. ઉત્તમ તાજા દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. ટાઈમ વિતેલી મિઠાઈ નહીં વાપરવી જોઈએ. તેમજ બજારું મિઠાઈમાં વપરાતા ઘી વગેરેમાં પ્રાણીજ પદાર્થ આવવાની પૂરી શકયતા હોવાથી બજારમાંથી લાવેલ મિઠાઈ ભગવાનને નહીં ચડાવવી જોઈએ.
(અપૂર્ણ)
હોય નહીં?
ચામડીના ચંગો * તુલસીના પાનનો રસ ઘસવાથી ખંજવાળ મટે છે. * નહાવામાં સાબુનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દેવાથી તત્કાળ રાહત થાય છે. નખ કપાવી નાખવા જોઈએ.
જયાં ખંજવાળ આવે ત્યાં કપડાથી જ નછૂટકે ખંજવાળવું જોઈએ. ખંજવાળની જગ્યા ઉપર ગરમ ગરમ
પાણી નાખી સાફ રાખવું જોઈએ. * તુવેરના પાન બાળી દહીંમાં મેળવીને ચોપડવાથી ખસ મટે છે. * આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે. * એરીયો અથવા રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે. * ચણાના લોટમાં દૂધની મલાઈ અને થોડી હળદર નાખી માલીશ કરી ગરમ પાણીથી સ્ના કરતાં ખુજલી
મટે છે. * આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. * ચામડીના રોગો મુખ્યત્વે કફનો પ્રકોપ છે. એલોપથી દવાઓ કફને સૂકવવા, દબાવવા મહેનત કરે છે
તેથી ચામડીના રોગોમાં એલોપથી દવાથી તત્કાળ ફાયદો દેખાય પણ ભવિષ્યમાં એ વકરતો જ હોય છે. ઘણીવાર ભવિષ્યમાં દમ વગેરે મહાવ્યાધિ પણ કફ દબાવવાથી થઈ જતો હોય છે.
સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – સાયન કેન્દ્ર વતી
સ્વ. અરુણકુમાર પોપટલાલ શાહ
ઓ માતાપિતાઓ! તમારું સૌથી મોંઘેરું ઘરેણું તમારું સંતાન છે. આજનો સુવિચાર | આ ઘરેણું (બાળકના-સંસ્કારો) ચોરાઈ જવાનો બહાર પૂરો ભય છે.
- તમે તેને તપોવનની તિજોરીમાં સુરક્ષિત મૂકીને નિશ્ચિંત બની જશો.
વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭
વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ * ટેલી ફેલઃ ૮૦૨૦૭૪૯