SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રોકવા કમસેકમ આઠ પડ કરી મોં/નાક બરાબર બંધ કરવા. ખેસ વડે જ મુખકોશ બાંધવો. (પુરુષોને બે કપડાથી જ પૂજા કરવાની છે માટે) બહેનોએ રૂમાલથી મુખકોશ બાંધી પૂજા કરવાની છે. ચાંલ્લોઃ જેમ આંખ વિનાનું મુખ નકામું છે. ચાંદ વિનાની રાત નકામી છે. જલ વિના સરોવર નકામું છે તેમ તિલક વિના લલાટ નકામું છે. પરમાત્માની આજ્ઞાના સ્વીકારરૂપે ચાંલ્લો કરવાનો છે. સધવા જેમ “મારો ધણી હજુ જીવતો છે તેના પ્રતિક રૂપે ચાંલ્લો કરે છે. તેમ ભક્ત પણ પરમાત્મા મારા માલિક છે. હું એમનો દાસ છું. મારા એ'સદા જીવતા છે તેથી હંમેશ ચાંલ્લો કરે છે. પાટલા, બાજોઠ પર પ્રમાર્જન કરી પદ્માસને બેસીને ચાંલ્લો કરવાથી આજ્ઞાચક્ર કાર્યાન્વિત થાય છે. અલગથી લસોટી રાખેલા ઘટ્ટ કેસરથી તાંબાની સળી વડે દીપશિખા જેવું, બદામના બીજ જેવું, સિદ્ધશીલા પ્રતિ ગમન કરતું, ઊર્ધ્વગતિને સૂચવતું લાંબુ તિલક પુરુષોએ કરવાનું હોય છે. બહેનોએ ગોળ તિલક જ કરવાનું હોય છે. પુરુષોને લલાટ સિવાય. તારી વાણીનું જ શ્રવણ કરીશ. તેની પ્રતિજ્ઞા માટે કાનની બે બુટી ઉપર, તારા જ ગુણ ગાવાના પ્રતિકરૂપે કંઠમાં, નિરંતર તારું ધ્યાન ધરવાના પ્રતિકરૂપે હૃદય પર અને નાભિના ઊંડાણમાં તારો વાસ હો એ ન્યાયે નાભિ ઉપર પણ તિલક કરવું જોઈએ. તિલક કરીએ એ કેસરથી પૂજા ન થાય. પૂજા પછી તિલક ભૂંસી ન નાખવું. પ્રત્યેક ક્રિયા કરતી વખતે યાદ રાખવું કે પરમાત્માનું તિલક મારે માથે છે. સૂતા પહેલાં ચાંદલો માથે ચડાવીને પછી સૂઈ જવું. (અપૂર્ણ) હે હોય નહીં? qજળ qધારqI વજન વધારે હોય તે પતલા માણસને જોઈને દુઃખી થાય છે તેમજ જેનું વજન ઓછું હોય તેને એમ થયા કરે છે કે આપણે વજન કેમ વધારવું? ૧) અશ્વગંધાને આયુર્વેદમાં ‘વૃષ્ય' કહી છે. તેથી દૂધ સાથે આસન લેવાથી શક્તિ વધે છે, વજન વધે છે. અન્ય અનેક રોગોમાં ફાયદો કરે છે. ૨) નરણા કોઠે ખજૂર સાથે (જયારે ખપતી હોય ત્યારે) દૂધ પીવાથી તેમજ કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે. ૩) ખજૂર ૧૦૦ અને દ્રાક્ષ ૫૦ ગ્રામ દરરોજ ખાવાથી નવું ચેતન પ્રગટે છે. - - - - - - - - - - - - - — — — — — — — — — — — — — — સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી ભાયંદર વર્ધમાન સંસ્કૃતિ ધામ જીવનના પચાસ ટકા જેટલા દોષો એક ઝાટકે કરવા આજનો સુવિચાર હોય તો આખું કુટુંબ રાતે લાા સુધીમાં ઘરની અંદર આવી જાય અને ૧૦ સુધીમાં સૂઈ જાય, વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ || ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯
SR No.006035
Book TitleViniyog Parivar Dwara Prakashit Lekh Samput
Original Sutra AuthorN/A
AuthorViniyog Parivar
PublisherViniyog Parivar
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy