SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * * * * * ચારિદ્વાર * * * * * * * * * * * * * * * * * * છે કોળી! જલ્દી કર (વસ્ત્ર જલ્દી બનાવ) હું હમણાં સાવ નગ્ન છું. આ બે પ્રકારની નગ્નતામાં મુખ્ય નગ્નતા તીર્થકર ભગવાનને જ સુસંગત છે, કેમકે ઉત્તમસંધયણાદિ ગુણોથી યુક્ત હોવાથી વસ્ત્ર વિના પણ તેઓને પૂર્વોક્ત દોષો સંભવતા નથી અને સિદ્ધિરૂપ સ્વફળની સાધના કરી શકે છે. કહ્યું જ છે કે“બધા જ તીર્થકરો (૧) નિરુપમતિ અને સંધયણવાળા (૨) ચાર જ્ઞાનના ધારક (૩) અતિશયસત્વથી યુક્ત (૪) જેમના બાથરૂપી પાત્રમાં છિદ્રના અભાવનો ગુણ છે ? હાથમાંથી એક બુંદ પણ નીચે ન પડે તેવી લબ્ધિવાળા) અને (૫) અચલપરિવહન જીતવાવાળા છે. ૧ાા તેથી તેઓ વસ્ત્ર–પાત્રરહિત હોવા છતાં તેઓને યથોક્તદોષો પ્રાપ્ત થતાં નથી. વળી વસ્ત્ર-પાત્ર તેઓ માટે સાધનભૂત બનતા નથી, તેથી તેઓ તેને (=વસ્ત્રપાત્રન) ગ્રહણ કરતાં નથી. મારા” પરંતુ વર્તમાનકાળે તો વિશિષ્ટ તિ, સંધયણવગેરે ગુણો ઉપલબ્ધ નથી. તેથી મુખ્ય અચલતા સંયમોપકારી બને નહીં. તેથી વર્તમાનકાલીન સાધુઓને તો ઉપચરિતઅચલતા જ યોગ્ય છે. પૂર્વપક્ષ:- આ બરાબર નથી. આમ અચેલત ઉપચરિત માન્ય કરશો, તો તમારે પરિષહસહન પણ ઉપચરિત જ આવશે. અને ઉપચરિતરૂપથી અભીષ્ટ અર્થની સિદ્ધિ થતી નથી. કહ્યું જ છે કે “અર્થમાં (= પદાર્થમાં) સમારોપને અનુવિધાયી નહીં. માણવકમાં અગ્નિનો ઉપચાર કરવાથી ( માણવક કોપી હોવાથી ‘સાક્ષાત્ અગ્નિ છે” એવો ઉપચાર–સમારોપ કરવામાત્રથી) કંઈ પાકકિયામાટે તેનું (= માણવકનું) આધાન (= ઉપયોગ) કરાતું નથી. ૧૦૬૧ अत्राचार्य आह - અહીં આચાર્યવર સ્થિત ઉત્તર આપે છે– णेगंतेणाभावादण्णादीणं खुधादियाणंपि । सहणं अणेसणिज्जादिचागतो इहऽवि तह चेव ॥१०६२॥ .. (नैकान्तेनाभावादन्नादीनां क्षुदादीनामपि । सहनमनेषणीयादित्यागत इहापि तथैव ॥ नैकान्तेनाभावादन्नादीनां क्षुदादीनामपि परीषहाणां सहनमादिशब्दात् पिपासापरिग्रहः, किंतु अनेषणीयादित्यागतः, आदिशब्दाद् प्रासुकपरित्यागतश्च । इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथा भगवन्तोऽपि तीर्थकृतस्तवाभिप्रायेणाजितक्षुदादिपरीषहा एव प्राप्नुवन्ति, तेषामपि तव मतेनापि आकेवलप्राप्तेरन्नादिपरिभोगात्, तदुक्तम्- “जइ चेलभोगमेत्ता न जिओऽचेलयपरीसहो तेणं । अजियदिगिंछादिपरीसहोवि भत्तादिभोगाओ ॥१॥ एवं तुह न जियपरीसहा जिणिंदावि सव्वहाऽऽवन्नमित्यादि" (छा. यदि चेलभोगमात्रान्न जितोऽचेलपरीषहस्तेन । अजितक्षुदादिपरीषहोऽपि भक्तादिभोगात् ॥१॥ एवं तव न जितपरीषहा जिनेन्द्रा अपि सर्वथाऽऽपन्नम्) । ततस्तथा चैवेति-अनेषणीयादित्यागेन क्षुदादिपरीषहसहनमिव इहापि-नाग्न्यपरीषहेऽनेषणीयकमनीयमहामूल्यवस्त्रपरित्यागेन सहनं द्रष्टव्यमिति । यदाह - "जह भत्ताइ विसुद्धं रागद्दोसरहितो निसेवंतो । विजियदिगिछादिपरीसहो मुणी सपडियारोवि ॥१॥" तह चेलं परिसुद्धं रागद्दोसरहियं (ओ) सुयविहीए होइ जियाचेलपरीसहो मुणी सेवमाणो वि ॥२॥ इति (छा. यथा भक्तादि विशुद्धं रागद्वेषरहितो निषेवमाणः । विजितक्षुदादिपरीषहो मुनिः सप्रतीकारोऽपि ॥१॥ तथा चेलं परिशुद्धं रागद्वेषरहितं(तः) श्रुतविधिना । भवति जिताऽचेलपरीषहो मुनिः सेवमानोऽपि ॥२॥१०६२॥ ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- સુધાદિ–આદિશબ્દથી પિપાસાઆદિ પરિષહોનું સહન કંઈ એકાન્ત-સર્વથા અનાદિના ત્યાગથી સંભવે નહીં, પરંતુ અષણીયાદિ–આદિશબ્દથી અપ્રાસકના પરિત્યાગથી જ સંભવે. આ બાબત આમ જ સ્વીકારવી જોઈએ, નહીંતર તો તમારા મતે તીર્થકરો પણ સુધાદિ પરિષહ નહીં જિતનારા સિદ્ધ થશે, કેમકે તમારા મતે પણ તીર્થકરો કેવલજ્ઞાનની પ્રાપ્તિસધી અનાદિનો પરિભોગ કરે છે. કહ્યું જ છે કે “જો વસ્ત્રના ઉપભોગમાત્રથી અચલપરિષહ જિતાયો ન ગણાય, તો ભોજનના ઉપયોગથી સુધાદિપરિષહ પણ નહીં જિતાયો ગણાય. આમ તમારા મતે જિનેન્દ્રો પણ પરિષહને સર્વથા જિતેલા નથી એમ આવશે ૧–રા તેથી જેમ અનેકણીયાદિના ત્યાગથી સુધાદિ પરિષહ જિતાય છે, તેમ અષણીય મનોહર અને મહામૂલ્ય વસ્ત્રના ત્યાગથી નગ્નતાપરિષહ જિતાય છે, તેમ સમજવું. કહ્યું જ છે કે બજેમ રાગદ્વેષરહિત થઈ વિશુદ્ધ ભોજનાદિ સેવતો સાધુ પ્રતિકારયુક્ત હોવા છતાં ભોજન કરવા છતાં) સુધાપરિષહને જિવનારો ગણાય, તેમ રાગદ્વેષરહિત થઈ સૂત્રોક્તવિધિથી પરિશુદ્ધ વસ્ત્રને સેવતો પણ સાધુ અચલપરિષહને જિતેલો ગણાય.. auરા ૧૦૬રા एवमाचार्येणोक्ते सति परोऽतिप्रसङ्गमुद्भावयन्नाह - આચાર્યવરે આમ કહ્યું તેમાં દિગંબર અતિપ્રસંગ બતાવવા પ્રયાસ કરે છે * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 219 * * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy