SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ चरणपरिणामबीयं जं न विणासेइ कज्जमाणंपि । तमणुट्ठाणं सम्मं अववादपदं मुणेतव्वं ॥ જે કરાતુ અનુષ્ઠાન ચારિત્રપરિણામબીજનો નાશ ન કરે, તે જ સમ્યગ્ અપવાદપદરૂપ સમજવું. सुहझाणस्स उ नासे मरणंपि न सोहणं जिणा बेंति । अन्नाणि (ची) वीरचरियं बालाणं विम्हयं कुणति ॥ ॥ १०२९ ॥ જો શુભધ્યાનનો નાશ થતો હોય, તો તે મરણ પણ સારું નથી’ એમ જિનો કહે છે. તેથી (તેવા મરણ માટે ઉદ્યત થયેલા) અજ્ઞાની વીરચરિત્ર અજ્ઞજીવોને જ વિસ્મય પમાડે, (નહીં કે ગુરુપરપરાથી આગમરહસ્યના જાણકારોને.) अट्ठविपि य कम्मं मिच्छत्ताविरतिदुट्ठजोगा य । एसो य भावगंथो भणितो तेलोक्कदंसीहिं ॥ (૧) જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ (૨) મિથ્યાત્વ (૩) અવિરતિ અને (૪) દુષ્ટયોગો આ ભાવગ્રથ છે, એમ ત્રૈલોક્યદર્શી ભગવાનોએ કહ્યું છે. Io ૦ ૦ ૨૫ ।।o ૦૭૬ ।। मिच्छत्ते अन्नाणे अविरतिभावे य अपरिचत्तम्मि । वत्थस्स परिच्चातो परलोगे कं गुणं कुणइ ॥ (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાન અને (૩) અવિરતિભાવના અપરિત્યાગમાં વસ્ત્રનો પરિત્યાગ પરલોકમાં શું લાભ કરશે ? नत्थि य सक्किरियाणं अबंधगं किंचि इह अणुट्ठाणं । चतितुं बहुदोसमतो कायव्वं बहुगुणं जमिह ॥ ॥ १०७५ ॥ સક્રિય જીવોને કોઇ પણ અનુષ્ઠાન અધિક નથી. તેથી જે બહુદોષયુક્ત હોય, તેનો ત્યાગ કરી, જે બહુગુણયુક્ત હોય તે અનુષ્ઠાન કર્તવ્ય છે. भावियजिणवयणाणं ममत्तरहियाण नत्थि हु विसेसो । अप्पाणम्मि परम्मि य तो वज्जे पीडमुभयोऽवि ॥ ॥११०६॥ Io ૦૭૪॥ જિનવચનથી ભાવિત થયેલા અને મમત્વથી રહિતને સ્વ અને પરમાં કોઇ વિશેષ = ભેદ નથી. તેથી સ્વ-પર ઉભયની પીડાનો ત્યાગ કરવો જોઇએ. जं चरणं पढमगुणो जतीण मूलं तु तस्स वि अहिंसा । तप्पालणे च्चिय तओ जइयव्वं अप्पमत्तेणं ।। ।।११२३॥ સાધુઓનો પ્રથમગુણ ચારિત્ર છે. અને ચારિત્રનું પણ મૂળ અહિંસા છે. તેથી તેના (= અહિંસા અને ચારિત્રના) પાલનમા જ અપ્રમત્ત થઇને પ્રયત્ન કરવો જોઇએ. सव्वण्णुविहाणम्मि वि दिट्ठट्ठाबाधितातों वयणातो । सव्वण्णू होइ जिणो सेसा सव्वे असव्वण्णू ॥ ॥१३७२ ॥ સર્વજ્ઞ છે” એમ સિદ્ધ થયે દૃષ્ટ અને ઇષ્ટને અબાધિત વચનોના કારણે જિન (=વર્ધમાનસ્વામી વગેરે) જ સર્વજ્ઞ છે, સુગતઆદિ બીજાઓ નહીં. रागादीणमभावा जम्मादीणं असंभवातो य । अव्वाबाहातो खलु सासयसोक्खं तु सिद्धाणं ॥ IK ૩૭૭ (૧) રાગ-દ્વેષાદિ દોષોનો અભાવ હોવાથી (૨) જન્મ-જરા-મરણાદિનો અસંભવ હોવાથી અને (૩) વિષયૌત્સુચનિવૃત્તિથી સતત તૃપ્તિરૂપ અવ્યાબાધ હોવાથી સિદ્ધ જીવોને શાશ્વત સુખ છે.
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy