SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તિ - નાવ્યપૈતન્યમનુપNa तस्य सकलशक्तिशून्यतया आवारकत्वानुपपत्तेः, अन्यथाऽऽवरणक्रियानिष्पादनशक्तियुक्ततया कुड्यादिवत्तस्य भावता प्रसज्येत, तथा च सति तत्त्वान्तरस्यानभ्युपगमात्सामर्थ्यात्तस्य भूतानामन्यतमत्वात् व्यञ्जकत्वप्रसक्तिरिति । अपि च-यस्य परिणामस्याभाव आवारकः स तथाविधो विशिष्टः परिणामो भूतेभ्यो भिन्नो वा स्यात् अभिन्नो वा?, यदि भिन्नस्ततस्तत्त्वसंख्यानियमव्याघातः, अथाभिन्नस्तर्हि भूतस्वरूपवत्तस्यापि सदा भावप्रसङ्गेन सर्वदा चैतन्याभिव्यक्तिप्रसङ्गः। अथ परिणामत्वान्नासौ नित्यो भवितुमर्हति, तेन तेनाऽऽकारेण परिणमनं हि परिणामः, किंतु यस्मिन् काले भवति तस्मिन् भूतस्वरूपाभेदेन भवति ततो न कश्चिद्दोष इति, तदयुक्तम्, कालानभ्युपगमे इत्थं भूतवचनप्रवृत्त्ययोगात्, लोकप्रसिद्धत्वादप्रतिक्षेपार्होऽसौ काल इति चेत्, तदेतदात्मन्यपि समानं, तस्यापि लोकप्रसिद्धत्वात्, पितृकर्माद्यन्यथाऽनुपपत्तेः। तदुक्तम्-"पितृकम्मादिसिद्धेश्च, हन्त नात्माप्यलैकिकः" इति। तदेवमावारकाभावादनभिव्यक्तचैतन्यानुपपत्तिरिति स्थितम् ॥ ८८ ॥ इतश्चानभिव्यक्तचैतन्यमनुपपन्नम्, यत आह— — — — — — — — — — — — — — — — — — — — — | (ચૈતન્ય અનભિવ્યક્તિવ સનિરાસ) નાસ્તિક :- ઘડાનું દૃષ્ટાન્ત સાધ્યવિક્લ છે (ચૈતન્યશૂન્યતારૂપ સાધ્યથી રહિત છે.) કેમકે ઘડામાં પણ અનભિવ્યક્ત ચૈતન્ય સ્વીકાર્યું છે. કહ્યું છે કે, “ઘડાવગેરેમાં ચૈતન્યની અભિવ્યક્તિ નથી, કેમકે ચૈતન્યની અભિવ્યક્તિમાં હેતુભૂત અચકારણોનો અભાવ છે. જેમકે ધૂળવગેરેમાં રહેલી અનભિવ્યક્ત મદશક્તિ. ચૈતન્યની અભિવ્યક્તિનું કારણ પૃથ્વીવગેરેની કાયાકારપરિણતિ છે. જેમકે પિષ્ટ, પાણી, ગોળ, ધાતકીવગેરેની પરિણતિ મદશક્તિની અભિવ્યક્તિમાં કારણ છે. ધડાવગેરેમાં પૃથ્વી વગેરેનો કાયાકારપરિણામ નથી, તેથી ત્યાં ચૈતન્યની અભિવ્યક્તિ નથી. જેમકે ધૂળ વગેરેમાં પિષ્ટોદક્વગેરે પરિણામ ન હોવાથી મદશક્તિની અનભિવ્યક્તિ છે. ઉત્તરપક્ષ :- “ઘડામાં ચૈતન્ય અનભિવ્યક્ત છે એ વાત બરાબર નથી, કેમકે અનભિવ્યક્તિ જ અસંગત છે. અર્થાત્ ઘટતી નથી. જે આવૃત ( ઢંકાયેલું) હોય તેની જ અનભિવ્યક્તિ સંભવે. અને ચૈતન્યમાટે ભૂતો છોડી અન્ય કોઈ આવારક નથી. જો - ભૂતોથી અન્યને આવારક માનશો, તો “પૃથ્વીવગેરે રૂપ ચારભૂતો જ તત્ત્વ છે” એ વચનથી સિદ્ધ તત્વની ચાર સંખ્યાના નિયમને બાધ આવે. નાસ્તિક:- આ ચારભૂતમાંથી જ કોઇકથી ચૈતન્યનું આવરણ થાય છે. ઉત્તરપક્ષ :- આમ માની શકાય તેમ નથી, કેમકે આ ભૂતો તો ચૈતન્યના વ્યંજક્તરીકે ડિડિમ પીટવાપૂર્વક સ્વીકારાયા છે. અને વ્યંજક પોતે જ આવારક ન બની શકે. - નાસ્તિક :- ભૂતોમાંથી કોઇપણ ભૂત ચૈતન્યને આવારક નથી. પરંતુ તે ભૂતોના વિશિષ્ટ પરિણામનો અભાવ જ અહીં ચૈતન્યનો આવારક છે. ઉતરપક્ષ :- આ વાત બરાબર નથી. કેમકે અભાવ પોતે સકળશક્તિથી શૂન્ય હોવાથી આવારક્તરીકે યુક્તિ યુક્ત નથી. જો અભાવ આવરણક્રિયા કરવાની શક્તિવાળું હોત, તો તે ભીંતવગેરેની જેમ ભાવરૂપ બની જાય. અને જો અભાવ ભાવરૂપ હોય, તો તત્વાન્તરનો સ્વીકાર ક્યું ન હોવાથી સામર્થ્યથી તેને અન્યતમ ભૂતરૂપે જ સ્વીકારવો રહ્યો. અને જો તે ભૂતરૂપ હોય, તો આવારકરૂપ ન બની શકે, કેમકે ભૂતો ચૈતન્યના વ્યંજતરીક અભિમત છે. વળી, જે પરિણામનો અભાવ આવારતરીક અભિમત છે, તે વિશિષ્ટ પરિણામ ભૂતોથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય, તો ભૂતોથી ભિન્ન તત્વની સિદ્ધિનો પ્રસંગ છે. અને તત્વની સંખ્યાના નિયમને બાપની આપત્તિ છે. તથા જો એ વિશિષ્ટપરિણામ ભૂતોથી અભિન્ન હોય, તો તે વિશિષ્ટ પરિણામને ભૂતોની જેમ હમેશા સર્વત્ર હાજર રહેલો માનવો પડશે. તેથી ચૈતન્યની હંમેશા અભિવ્યક્તિનો પ્રસંગ આવશે. નાસ્તિક :- આ વિશિષ્ટ પરિણામ પરિણામરૂપ હોવાથી ક્યારેય પણ નિત્ય રહી શકશે નહિ. તેવા તેવા આકારે પરિણમવું એ જ પરિણામ છે. તેથી પરિણામ હંમેશા અનિત્ય જ હોય. તેથી આ વિશિષ્ટ પરિણામ પણ હંમેશા રહેતો નથી, તેથી હંમેશાં ચૈતન્યની અભિવ્યક્તિનો પ્રસંગ નથી. શંકા :- તો પછી આ અનિત્ય વિશિષ્ટ પરિણામ નિત્યભૂતોથી અભિન્ન શી રીતે બને ? સમાધાન :- આ પરિણામો અનિત્ય હોવા છતાં જ્યારે પણ ઉત્પન્ન થાય છે, ત્યારે જ તે વિશિષ્ટપરિણામ થી ભૂતના સ્વરૂપપણે (અભેદ) ઉત્પન્ન થાય છે. તેથી અનિત્ય પણ આ પરિણામો નિત્યભૂતોથી અભિન્ન હોય છે. ઉત્તરપક્ષ :- “કાલ'તત્વનો સ્વીકાર કર્યા વિના જ્યારે અને ત્યારે ઈત્યાદિ વચનપ્રયોગો કરી શકાય નહિ. તેથી કાળ'તત્વને નહિ માનનારા તમને આ પ્રમાણે કાલતત્વના આધારે આવો વચનપ્રયોગ કરવો ઘટે નહિ. તેથી પરિણામને અનિત્ય ઠેરવી શકો નહિ. નાસ્તિક :- કાલ તત્વ લોકપ્રસિદ્ધ છે. તેથી તેને અમાન્ય ઠેરવી શકાય નહિ. ઉતરપક્ષ :- સરસ ! લોકપ્રસિદ્ધિને આગળ કરી તમે ભૂતોથી ભિન્ન કાળતત્વના સ્વીકારની હિંમત કરી, અને તેથી તમારી તત્વની સંખ્યાને બાધ પહોંચે છે, તેની દરકાર પણ ન કરી, તે બદલ તમને ધન્યવાદ. બસ હવે થોડી વધુ થી ભૂતના કાલ તમને આ ધર્મસંગ્રહણિ ભાગ-૧ : ૮૧
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy