________________
च वस्तु शब्देन च वक्तुमिष्यते तदा तद्वाचकस्य शब्दस्य बहुवचनं पर्यायाणां बहुत्वात्, यदा तूपसर्जनीकृतपर्यायोपनिपातं प्रधानीकृततुल्यांशं च तदेव वस्तु वक्तुमिष्यते तदैकवचनं, तुल्याशंस्य कथंचिदेकत्वात् । अत एव चैकवचनकाले बहुवचनकाले वा द्रव्ययपर्यायोभयरूपं वस्तु सकलमविगानेन प्रतीयते । एवं च सति "संभविधर्म्मिरूपमात्राभिधेयत्वेन विवक्षितमत एकवचन" मिति चेदत्याशङ्कय यदुक्तं परेण -- "न, तस्यैकत्वेन विवक्षायां कार्त्स्यगौरवयोरप्रतीतिप्रसङ्गात्, उभयरूपस्य वस्तुनो गुरुशब्दवाच्यत्वात् कथं संभविनो धर्मिरूपस्यैकत्वेन विवक्षेति" तत् दूरापास्तप्रसरं द्रष्टव्यम्, तथान - भ्युपगमादिति । यदा तूभयोरपि उद्भूतत्वं विवक्ष्यते तदा द्वयोरपि द्रव्यपर्यायवाचकयोः शब्दयोः यथाक्रममेकवचनबहुवचनभेदः, यथा - घटस्य रूपादय इति । अनेनैव च क्रमेण व्रीह्यादिषु शब्देषु समानासमानपरिणामप्रधानोपसर्ज्जनभावविवक्षायामेकवचनबहुवचने द्रष्टव्ये, यथा- "व्रीहिरेकोऽपि संपन्नः सुभिक्षं करोतीत्यादि " । तथा च सति यदुक्तं-"व्रीहय इति जातिवचने धर्मिणो रूपादीनां चानभिधानान्न किंचिदुत्तरमिति" तदपि बालिशजल्पितं, सर्वथा वस्तुगत्यनवगमात्, अत्रोपसर्ज्जनीकृतसमानपरिणामस्यानेकात्मकस्यासमानपरिणामस्याभिधानादिति । यदपि संज्ञाभेदाद्भदं दूषयता अभिहितं- "संज्ञापि संकेतनिबन्धना संकेतश्चेच्छायत्तवृत्तिरिति कुतस्ततोऽर्थभेद इति" तदपि न शोभनम्, शब्दार्थयोः संबन्धस्य वास्तवत्वात्, तथाहि-- यदि शब्दार्थयोः संबन्धः सांकेतिक इष्यते तर्हि येन शब्देनायमित्यादिना तस्य शब्दस्य संकेतः क्रियते तेन किं संकेतितेन असंकेतितेन वेति वक्तव्यं ?, यदि संकेतितेन तर्हि तस्यापि येन शब्देन संकेतः कृतो विद्यते तेनापि संकेतितेनासंकेतितेन वेत्यादि तदेवावर्तत इत्यनवस्था, अथासंकेतितेन तर्हि सिद्धः शब्दार्थयोः संबन्धो वास्तवः, असंकेतितादपि तस्मात् शब्दात् विवक्षितवाच्यप्रतीतेः । अथोच्येत यादृशो बाह्योऽर्थो घटादिः प्रत्यक्षे ज्ञाने प्रतिभासते
તથા પુરુષવગેરેને અપેક્ષીને ક્યારેક દ્રવ્ય(તુલ્યાંશ) મુખ્ય બને છે, પર્યાયો ગૌણ, તો ક્યારેક દ્રવ્ય ગૌણ અને પર્યાયો મુખ્ય બને છે. હવે, જ્યારે વસ્તુગત દ્રવ્ય ગૌણ બને, અને પર્યાયોની ઉપસ્થિતિ મુખ્ય બને, અને તે વસ્તુનો શબ્દથી નિર્દેશ કરવાનો હોય, તો પર્યાયો બહુ હોવાથી એ વાચશબ્દનો બહુવચનમાં નિર્દેશ થાય છે. અને જ્યારે પર્યાયોની ઉપસ્થિતિ ગૌણ હોય, દ્રવ્ય પ્રધાન કરાયું હોય, અને તે વસ્તુનું પ્રતિપાદન ઇષ્ટ હોય, તો દ્રવ્ય કથંચિ એક હોવાથી એક્વચનમાં પ્રયોગ થાય છે. તેથી જ એક્વચનમાં પ્રયોગ થતો હોય, કે બહુવચનમાં પ્રયોગ થતો હોય, વસ્તુ તો દ્રવ્ય-પર્યાય ઉભયરૂપે જ–સળતયા જ અવિરુદ્ધ રૂપે ભાસે છે. તેથી જ, બીજાઓએ જે આશંકા અને નિરાકરણ કર્યું છે, તે અયોગ્ય ઠરે છે. બીજાઓએ જે આશંકા અને નિરાકરણ કર્યું છે તે આ પ્રમાણે છે + “જૈનો જો એમ કહેતા હોય, કે સંભવી ધર્મિરૂપમાત્ર (=વ્ય) અભિધેયતરીકે વિવક્ષિત હોવાથી એક્વચન છે, તો તે બરાબર નથી. કેમકે તેની(=ગુરુરૂપ ધર્માંની) એવૃતરીકે વિવક્ષા કરવામાં સંપૂર્ણતા અને ગૌરવની પ્રતીતિ નહિ થવાનો પ્રસંગ છે. જે કારણથી સંપૂર્ણતા અને ગુસ્તા ઉભયરૂપવાળી વસ્તુ જ ‘ગુરુ' શબ્દથી વાચ્ય બને છે. તે જ કારણથી સંભવિત ધર્મરૂપની એક્ત્વથી વિવક્ષા શી રીતે થઈ શકે ?” આ પરમત બરાબર નથી, તેનું કારણ એ જ છે કે, વસ્તુની માત્ર ધર્માંરૂપે વિવક્ષા અમે સ્વીકારતા જ નથી. વસ્તુને ઉભયરૂપે જ સ્વીકારીએ છીએ. અને તેમાં જ્યારે પર્યાયને ગૌણ કરી દ્રવ્યને મુખ્ય કરીએ છીએ, ત્યારે જ એક્વચનનો નિર્દેશ થાય છે. અને છઠ્ઠાં તે વખતે મુખ્યતયા દ્રવ્ય અને ગૌણતયા પર્યાયો ભાસતા હોવાથી ઉભયાત્મક જ વસ્તુ ભાસે છે.
શંકા :- જ્યારે દ્રવ્ય અને પર્યાય બન્નેની પ્રધાનતયા વિવક્ષા ઇષ્ટ હોય, ત્યારે શું કરશો ?
સમાધાન :- ત્યારે દ્રવ્ય અને પર્યાય બન્નેના વાચક બે શબ્દોનો ક્રમશ: એક્વચનમાં અને બહુવચનમાં નિંર્દેશ કરીશું. જેમકે ઘડાના રૂપવગેરે(ઘટસ્ય રૂપાદય:)” તેથી ક્રેઇ દોષ નથી. આજ ક્રમથી ‘વ્રીહિ'(=ચોખા)શબ્દોમાં સમાનપરિણામ(=વ્યત્વ સામાન્ય) અને અસમાનપરિણામ(-પર્યાય-વિશેષ)ની ક્રમશ: પ્રધાન અને ગૌણતરીકે વિવક્ષા કરતી વખતે ક્રમશ: એક્વચન અને બહુવચનમાં નિર્દેશ થાય છે. જેમકે વ્રીહિરકોપિ સંપન્ન: સુભિક્ષ કરોતિ (-એક પણ સંપન્ન થયેલો ચોખો સુકાળ કરે છે.)* આ સ્થળે સમાનપરિણામને આગળ કરી એવચનમાં પ્રયોગ છે. તેથી કોઇક એમ કહે છે “શ્રીહય:(-ચોખાઓ) એમ જાતિપ્રધાન નિર્દેશસ્થળે ધર્મી કે રૂપઆદિપર્યાય બેમાંથી એકનું પણ અભિધાન ન હોવાથી અહીં જૈનો કોઇ ઉત્તર આપી શકે તેમ નથી.” આ તદ્દન બાલિશ બબડાટ છે. કેમકે વસ્તુતત્વને સમજ્યા વિના જ ભરડાયું છે. ‘શ્રીહય:” આ સ્થળે સમાનપરિણામને ગૌણ કરી તથા અસમાનપરિણામને મુખ્ય કરીને કહેવાયું હોવાથી બહુવચન છે.
(શબ્દ–અર્થ વચ્ચે વાસ્તવિક સંબંધ) વળી કેટલાક સંજ્ઞાભેદના ભેદથી થતાં ભેદને દૂષણ લગાડતાં ક્લે છે. “સંજ્ઞા પણ સંકેતના કારણે હોય છે. તથા સંકેત ઇચ્છાને આધીન છે. તેથી સંજ્ઞાભેદથી અર્થભેદ શી રીતે સંભવે ? અર્થાત્ સંજ્ઞાભેદને અર્થભેદસાથે સંબંધ નથી, પણ સંત દ્વારા ઇચ્છાસાથે સંબંધ છે.” આ વાત પણ સરાહનીય નથી. કારણકે શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ વાસ્તવિક છે. તે આ પ્રમાણે + જો શબ્દ–અર્થવચ્ચેનો સંબંધ સાંકેતિક જ ઇષ્ટ હોય, તો જે શબ્દથી ‘આ’ ઇત્યાદિપે તે શબ્દનો સક્ત કરાય છે (તે શબ્દને સંકેતરૂપ અપાય છે.) તે શબ્દ પોતે સક્તયુક્ત થઈને કે સંક્તયુક્ત થયા વિના જ તેમ કરે છે ? તે ો. જો તે શબ્દ સંક્તયુક્ત થઈને તેમ કરતો હોય, તો તે શબ્દને જે શબ્દથી સંત અપાયો, તે શબ્દ પણ સંકેતિત છે કે અસંતિત છે ? ઇત્યાદિ પૂર્વપ્રશ્નનું પુનરાવર્તન થશે. આમ અનવસ્થાોષ આવશે. અને જો અસંકેતિતશબ્દ સંક્ત આપતો હોય, તો શબ્દ અર્થવચ્ચેનો સંબંધ વાસ્તવિક ઠરશે. કેમકે અસંકેતિત એવા તે શબ્દથી વિવક્ષિતવાચ્યની પ્રતીતિ થઈ શકે છે. અને વાત શબ્દ. અર્થવચ્ચે વાસ્તવિક્સંબંધ વિના સંભવે નહિં.
શંકા :– ઘટવગેરે બાહ્યઅર્થ(=ઘટવગેરે વસ્તુ) પ્રત્યક્ષજ્ઞાનમાં જે પ્રમાણે ભાસે છે, તે ભાસતો નથી. તેથી શબ્દ અને અર્થ વચ્ચે કેવી રીતે વાસ્તવિક સંબંધ માની શકાય ?
પ્રમાણે શબ્દજન્ય જ્ઞાનમાં
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઃ ૧૧