SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ तत्र चोक्तदोषाणां लेशतोऽपि प्रवृत्त्यसंभवादिति। एतेन यदपि "सर्वत्रैव हि जैनैर्द्रव्यपर्याययोः संख्यासंज्ञालक्षणकार्यभेदाद्रेदो देशकालस्वभावाभेदाच्चाभेद इष्यते, यथा घटस्य रूपादीनां चेति । अत्र हि एको घटो रूपादयो बहव इति संख्याभेदः, घटो रूपादय इति च संज्ञाभेदः, अनुवृत्तिलक्षणं द्रव्यं नित्यं च, व्यावृत्तिलक्षणाः पर्यायाः क्षणिकाः कियत्कालावस्थायिनश्चेति लक्षणभेदः, घटेनोदकाहरणं क्रियते रूपादिभिस्तु वस्तुराग इति कार्यभेदः, तदेवं द्रव्यपर्याययोः संख्यादिभिर्भेदो देशादिभिस्त्वभेद इत्याद्याशङ्कच-तदयुक्त, यदि हि स्वभावतो न भेदो धर्मधर्मिणोः संख्यादिभेदादपि नैव भेदः, ते हि पररूपाः संख्यादयो भिद्यमाना अपि नात्मभूतमभेदं बाधितुं समर्था" इत्याद्युक्तम्, तदपि तत्त्वतः पलालप्रायम्, स्वभावतोऽपि भेदाभेदस्य व्यवस्थापितत्वात् । वाहि-द्रव्यपर्याययोर्दाडिमगतस्निग्धत्वोष्णत्वयोरिव परस्परानुवेध इष्यते, अन्योऽन्यानुवेधश्च भेदाभेदे सति भवति नान्यथा, यतोऽन्योऽन्यशब्देन परस्परं भेद आक्षिप्यते, अनुवेधशब्देन चाभेदः, तदाह-"अन्योऽन्यमिति यद्भेदं, व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योऽन्यव्याप्तिसंभवः ॥१॥" इति एवं च सति कथमेकान्तिकस्वभावभेदाभेदनिबन्धनो दोषोऽस्माकमुपढौकत इति। देशकालमात्रापेक्षया त्वभेदोऽनभ्युपगमादेव न नः क्षितिमावहति । योऽपि संख्यादिभेदाढ़ेदः सोऽपि कथंचित् स्वभावभेदनिबन्धन एव, ततो "न हि पररूपाः संख्यादयो भिद्यमाना अप्यात्मभूतमभेदं बाधितुं समर्थाः" इति यदुक्तं तत् प्लवत एव । यत्पुनरुच्यते-"संख्याभेदस्तावदसमर्थ एवैकस्मिन्नपि द्रव्ये बहुत्वेन व्यवहारदर्शनात्, यथा गुरव इति", तदपि न मनोहरम्, अनेकपर्यायोपनिपातलक्षणनिमित्तापेक्षया बहुवचनस्याप्युपपद्यमानत्वात्। न च वाच्यमेवं सति न कदाचिदपि गुरुरित्येकवचनं स्यादिति, यतो द्रव्यपर्यायात्मकं वस्तु, देशकालपुरुषाद्यपेक्षया चोद्भूतानुभूतं द्रव्यादिकं, ततो यदा उपसर्जनीभूतद्रव्यं प्रधानीकृतपर्यायोपनिपात —— — — — — — — — — — — — — - - - - - - - - - - - - - - ઉત્તરપક્ષ :- અમારા જૈનસિદ્ધાજાનો તમને અલ્પ પણ ખ્યાલ નથી, એ વાતની આ વચનો સાક્ષી પૂરે છે. તમે ચર્ચા કરી તેનાથી અન્યરૂપે જ અમે દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદાભેદની વ્યવસ્થા સ્વીકારેલી છે. તેમાં ગોળ અને સૂંઠની મીઠાશ અને તીખારા દષ્ટાન્તરૂપ છે. તે પે સ્વીકારેલા ભેદાભેદમાં ઉપર કહેલા દોષોનો અંરો પણ અવકાશ નથી. અહીં બીજાઓ જૈનોની ભેદભેદની માન્યતા ધી છે? અને તે કેમ જોષયુક્ત છે ?” તે બતાવવા પ્રયત્ન કરે છે. | (જૈન-ભેદભેદઅંગે અન્યોની લ્પનાનું ખંડન) બીજાઓ :- બજૈનો સર્વત્ર દ્રવ્ય અને પર્યાય વચ્ચે સંખ્યા, સંજ્ઞા, લક્ષણ અને કાર્યના ભેદથી ભેદ અને દેશ, કાળ અને સ્વભાવના અભેદથી અભેદ ઈચ્છે છે. જેમકે ઘટ અને રૂપવગેરે. અહીં ઘડો એક છે જ્યારે રૂપવગેરે પર્યાયો અનેક છે, આમ દવ્ય-પર્યાયવચ્ચે સંખ્યાભેદ છે, વળી ઘટ ઘટ કહેવાય છે. રૂપવગેરે “રૂપ આદિથી ઓળખાય છે. આમ સંજ્ઞાભેદ છે. ઘડાવગેરે અનુવૃત્તિલક્ષણવાળું નિત્ય દ્રવ્ય છે. જ્યારે રૂપવગેરે પર્યાયો વ્યાવૃત્તિલક્ષણવાળા છે, તથા ક્ષણિક અને કેટલોક કાળ રહેવાવાળા છે. આ લક્ષણભેદ આવ્યો. તથા ઘડાથી પાણી લાવવાની ક્રિયા થાય છે, જ્યારે રૂપવગેરે વસ્તુને સ્વરૂપથી રંગે છે. (અથવા વસ્તુનો રાગ આસક્તિ રૂપાદિનું કાર્ય છે.) આ કાર્યભેદ આવ્યો. આમ દ્રવ્ય-પર્યાયવચ્ચે સંખ્યાવગેરેથી ભેદ છે. જ્યારે દેશ-સ્થાન વગેરેથી અભેદ છે. (જે દેશમાં ઘટ છે ત્યાં જ તેના રૂપઆદિ ગુણો ઉપલબ્ધ થાય છે. જે કાળે ઘડે છે, તે જ કાળે રૂપવગેરે છે. ઇચારિરૂપે અભેદ છે.) આ પ્રમાણે આરાંકા કરી (અર્થાત્ પૂર્વપક્ષ સ્થાપી) હવે જૈનમતનું ખંડન કરે છે. “આ ભેદભેદ બરાબર નથી. જો ધર્મ-ધર્મવચ્ચે સ્વભાવથી અભેદ હોય, તો સંખ્યાઆદિ ભેદથી પણ ભેદ ન હોવો જોઇએ. પરરૂપે રહેલા સંખ્યાવગેરે ભલે ભેદ પામતા હોય, તો પણ તેઓ તેને દ્રવ્યના આત્મભૂત=સ્વભાવભૂત અભેદને બાધ પહોંચાડવા સમર્થ નથી.” જૈન :- બીજાઓએ આવું જ ક્યું છે, તે બધું વાસ્તવમાં તણખલાતુલ્ય છે. કારણ કે અમે સ્વભાવથી પણ અભેદ નથી ઇષ્મા, પરંતુ ભેદાભેદ જ ઇચ્છીએ છીએ. તે આ પ્રમાણે - અમે દ્રવ્ય-પર્યાયવચ્ચે દાડમમાં રહેલી સ્નિગ્ધતા અને ઉષ્ણતાની જેમ પરસ્પર અનુવેધ ઇચ્છીએ છીએ. આ અન્યોન્યાનુવેધ, ભેદભેદ હોય, તો જ સંભવે અન્યથા નહિ. કારણકે અન્યોન્ય શબ્દથી પરસ્પરનો ભેદ આક્ષિપ્ત થાય છે, અને ‘અનવેધ શબ્દથી અભેદને આક્ષેપ થાય છે. ઠાં જ છે કે “અન્યોન્ય' ભેદને અને વ્યામિ'અભેદને સૂચવે છે. તેથી ભેદભેદ હોય, તો જ અન્યોન્યવ્યાતિ સંભવે.” તત્વ આ છે. તેથી એકાન્તસ્વભાવ ભેદમાં સંભવતા અને એકાન્તસ્વભાવઅભેદમાં સંભવતા ઘેષો શી રીતે અમે સ્વીકારેલા ભેદભેદમાં ઉપસ્થિત થઈ શકે? અર્થાત ન જ થાય. માત્ર દેશ અને કાલની અપેક્ષાએ અમે અભેદ સ્વીકાર્યો જ નથી, તેથી તે અંગે અમને કોઈ ક્ષતિ પહોંચતી નથી. સંખ્યાઆદિભેદથી જે ભેદ છે, તે પણ કથંચિત્ સ્વભાવભેદને કારણે જ છે. તેથી “પરરૂપે સંખ્યાવગેરે ભેદ પામતા હોય, તો પણ આત્મભૂત(=સ્વભાવભૂત) અભેદને બાધ પહોંચાડવા સમર્થ નથી' ઇત્યાદિ બીજાના વચનો ઊડી જાય છે, ફોક થાય છે. કેમકે એકાન્ત સ્વભાવઅભેદ નથી પરંતુ કથંચિત્ સ્વભાવભેદ બ્દ છે.) શંકા :- સંખ્યાભેદ ભેદ કરવા સમર્થ નથી, કેમકે એક દ્રવ્યમાં પણ બહુત્વનો વ્યવહાર થતો દેખાય છે. જેમકે ગુરુ એક હોવા છતાં “ગુરવ' (ગુરઓ) એવો બહુવચનયુક્ત ર્નિર્દેશ થાય છે. સમાધાન :- આ વાત સુંદર નથી, કારણકે અનેક પર્યાયોની હાજરીરૂપ નિમિત્તના કારણે “ગુરવ' એમ બહુવચન પણ સુસંગત છે. રાંકા :- જો અનેક પર્યાયોના કારણે બહુવચન ઇષ્ટ હોય, તો હંમેશાં અનેક પર્યાયો રહે છે. તેથી હંમેશા બહુવચન નો જ પ્રયોગ થવો જોઇએ.“ગુર:' એમ એક્વચનનો પ્રયોગ ક્યારેય થઈ શકશે નહિ. સમાધાન :- એમ નથી. દરેક વસ્તુ દ્રવ્યપર્યાયઉભયાત્મક છે. અથવા દરેક વસ્તુ સમાનપરિણામ(સામાન્ય) અને ભિન્ન પરિણામ( વિશેષ)થી યુક્ત હોય છે. (જેમકે “બ્રાહ્મણો લોભી (=બ્રાહ્મણ લોભી હોય છે.) ઇત્યાદિસ્થળે બ્રાહ્મણોમાં લોભ સમાનપરિણામ તુલ્યાંકલ્પ છે. ટૂંફમાં દ્રવ્યરૂપતા, અનુવૃનિરૂપતા, સામાન્ય, સમાનપરિણામ, તુલ્યાં વગેરે શબ્દો કથંચિત્ સમાન અર્થક છે.) દેરા, કાળ ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૧૦
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy