SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ मवसेयम् । तथा कदाचित्प्रत्यक्षपुरस्सरेणानुपलम्भेन गृह्यते । यत उक्तम्-"तत्रैकाभावेऽपि नोपलभ्यते तत्तस्य कायीमति' अस्यायमर्थः- येषां सन्निधानेन प्रवर्तमानं यत्कार्य दृष्टं तेषां मध्ये यदा एकस्यापि अभावे सति नोपलभ्यते तदा तत्तस्य कार्यम्, यथा धूमो हुतभुज इति ॥२८७॥ अत्र पर आह-- तत्फलजणणसहावं तु कारणं तं च घेप्पइ तहेव । ... વેન્ન પુખ તરણના દાવંતિ તૂપ તહી ૨૮૮ + ૮ (तत्फलजननस्वभावं तु कारणं तच्च गृह्यते तथैव । कार्य पुनस्तत्कारणजन्यस्वभावमिति तदपि तथा) कारणम्-अग्न्यादिकं तत्फलजननस्वभावं-धूमादिलक्षणकार्यजननस्वभावं, तुः पूरणे.. तच्च कारणमेवंस्वभावं सत् तथैव-तथास्वभावतयैव प्रत्यक्षेण गृह्यते नान्यथा, अन्यथा तदग्रहणप्रसङ्गात्, कार्यमपि धूमादिकं, पुनःशब्दोऽपिशब्दार्थः, तत्कारणजन्यस्वभावम्, इति तस्मादर्थे, तस्मात्तदपि कार्य तथा-तथास्वभावतयैव गृह्यते, अन्यथा तेन तस्याग्रहणप्रसङ्गात्, तत्सामर्थ्यप्रभवश्च विकल्पोऽपि तथैव प्रवर्तत इति युक्तः प्रत्यक्षानुपलम्भादिना कार्यकारणभावावसाय इति ॥२८८॥ एतदेव भावयति-- धूमजणणस्सभावो(वा)ऽणलगाहगमो जमेत्थ विण्णाणं । जं तमणलजन्नसहाव-धूमविण्णाणहेउत्ति ॥ २८९ ॥ (धूमजननस्वभावानलग्राहकं यदत्र विज्ञानम् । यत्तदनलजन्यस्वभावधूमविज्ञानहेतुरिति) यत्-यस्मादत्र जगति यत् धूमजननस्वभावानलग्राहकम् 'मो' इति पादपूरणे, विज्ञानं तदवश्यमनलजन्यस्वभावस्य – – – – – – – – – – – – – –– – – – – – તેઓને બોધ કરનારા પણ ભિન્નકાલીન છે. પ્રત્યક્ષ અનુપલભઆદિ જે કહ્યું તેમાં આદિશબ્દથી અનુપલભપૂર્વક્તા પ્રત્યક્ષનો પણ સમાવેશ કરવાનો છે. કાર્યકારણભાવનો બોધ ક્યારેક (૧)અનુપલભ્યપૂર્વકના પ્રત્યક્ષથી થાય છે. અને (૨) ક્યારેક પ્રત્યક્ષપૂર્વકના અનુપલલ્મથી થાય છે. પ્રથમ બાબતમાં બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિની પ્રરૂપણા આવી છે. કે “જેઓના અનુપલેમ્પમાં તલ્લક્ષણ (તેઓનું સ્વરૂપ કે કાર્ય પ્રથમ અનુપલબ્ધ એવું પછીથી ઉપલબ્ધ થાય, એવું તલ્લક્ષણ હોય. તે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહેવાય” (ક્યારેય વસ્તુનું કાર્ય કે સ્વરૂપ વસ્તુની ગેરહાજરીમાં ઉપલબ્ધ ન થાય.' આવો નિયમ છે. બીજા શબ્દોમાં કહીએ તો જે કાર્ય કે સ્વરૂપ કારણ કે વસ્તુની ગેરહાજરીમાં ઉપલબ્ધ ન થાય, અને વસ્તુની હાજરી વખતે ઉપલબ્ધ થઈ રાતું હોય, તે જ વસ્તુનું કાર્ય કે સ્વરૂપ(તલ્લક્ષણ) હોઈ શકે. જે આવા પ્રકારનું કાર્ય કે સ્વરૂપ ઉપલબ્ધ થાય, તો વસ્તુઓ પણ ઉપલબ્ધ થવું જોઈએ–વસ્તુ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત બને.) આમ ઉપલબ્ધિ લક્ષણપ્રામના અનુપલંભથી(અનુપલભપુરસ્સરપ્રત્યક્ષના નિયમથી) સત્કાર્યવાદી સાંખ્યાદિની તે સ્થળે(ધૂમાદિસ્થળે) ધૂમવગેરે કાર્યની પોતાના કારણની હાજરીની પૂર્વે પણ હાજરીની માન્યતા ખંડિત થાય છે, કેમકે જો તે પૂર્વે પણ હોત, તો ઉપલબ્ધ થાત, પણ થતું નથી, તેથી પૂર્વે તે ન હતું. તથૈવ ધૂમવગેરે કાર્યો કારણની હાજરીની પૂર્વે વિધમાન જ હતાં પણ ત્યાં ન હતાં, હવે અન્યત્રથી આવ્યા તેવી માન્યતાના પણ ચૂરેચૂરા થાય છે- ઉપરોક્ત જ નિયમના બળપર. તથૈવ, “પૂર્વે વિધમાન સાદડી કે ભીત જેવા કારણોમાંથી ધૂમાડો ઉત્પન્ન થાય છે એવો વિચાર પણ ઉપરોક્ત નિયમથી ખંડન પામે છે. આમ ધૂમાદિ કાર્યઅંગે અનિની અહેતુતા તથા ધૂમઆદિ કાર્યોની અહેતુક કે અન્ય હેતુક વિદ્યમાનતાનો નિરાસ થયો. કાર્યકારણભાવ ક્યારેક પ્રત્યક્ષપૂર્વકના અનપલભથી ગ્રહણ થાય છે એવી બીજી બાબતઅંગે ધર્મકીર્તિ કહે છે કે ત્યાં એકના પણ અભાવમાં જે ઉપલબ્ધ ન થાય, તે તેનું કાર્ય છે.' આ પંક્તિનો ભાવાર્થ આ છે - જેઓના સન્નિધાનથી જે કાર્ય પ્રવૃત્ત(=ઉત્પન્ન-વિદ્યમાન) થયેલું દેખાયું. પછી તેઓ(કારણસામગ્રી)માંથી જ્યારે એનો પણ અભાવ થાય, ત્યારે જો તે કાર્ય ઉપલબ્ધ ન થાય, તો તે (વિવક્ષિત કાર્ય) તેઓનું(=કારણ સામગ્રીઓનું) કાર્ય છે. જેમકે ધૂમાડો અગ્નિનું કાર્ય છે. (બૌદ્ધમતે પ્રત્યક્ષપૂર્વના અનુપલંભ અને અનુપલંભ પૂર્વક્તા પ્રત્યક્ષ આ બેથી નિપજતી આ પંચકારણી=પાંચકારણ)થી કાર્યકારણ સંબંધ નિશ્ચિત થાય છે. (૧) ઉત્પત્તિ થવા પહેલા કાર્ય પ્રાપ્ત ન થવું (૨) કારણની પ્રાપ્તિ થવા પર (૩) કાર્ય પ્રાપ્ત થવું (૪) કાર્યની પ્રાપ્તિની બાદ કારણ પ્રાપ્ત ન થવું તથા તેના ળરૂપે (૫) કાર્ય પ્રાપ્ત ન થવું. આ પાંચ અવયવો પ્રાપ્તિ અને અપ્રાપ્તિના આધારે બે ભાગમાં વિભાગ પામે છે. તેમાં અપ્રાપ્તિના ત્રણ અને પ્રાપ્તિના બે અવયવ છે. (પ્રાપ્ત ઉપલભ્ય અપ્રાપ્ત અનુપલભ.). અનુપલભ્ય ઉપલક્ષ્મ (૧) ઉત્પત્તિ પૂર્વ કાર્યાનુપલભ્ય (૧) કારણોપલભ્ય તેના કારણે - (૨) કારણાનુપલભ તેના કારણે (૨) કાર્યોપલભ્ય (૩) કાર્યનુપલભ ) અછા અહીં બૌદ્ધ સ્વાશય પ્રગટ કરે છે. ગાથાર્થ :- અનિવગેરે કારણો ધૂમાડાઆદિરૂપ કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. (મૂળમાં “તુપાદપૂર્તિઅર્થે છે.) અને તેવા સ્વભાવવાળા તેઓ(=અનિવગેરે) પ્રત્યક્ષથી તેવા સ્વભાવવાળારૂપે જ દેખાય છે. અન્ય સ્વભાવવાળારૂપે નહિ. જો પ્રત્યક્ષજ્ઞાન તેઓને તેવા સ્વભાવવાળારૂપે ગ્રહણ ન કરે તો તેઓ (અનિવગેરે) ગ્રહણ ( પ્રત્યક્ષના વિષયો જ ન થાય. તે જ પ્રમાણે ધૂમાડવગેરે કાર્ય પણ (મૂળમાં પુણપદ (અપિપણઅર્થે છે.). તે (અનિવગેરે) કારણથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. (-ઈતિપદ તેથી•અર્થમાં છે.) તેથી તે કાર્ય પણ તેવા સ્વભાવથી યુક્તરૂપે જ પ્રત્યક્ષઆદિથી ગૃહીત થાય છે. જો પ્રત્યક્ષજ્ઞાન કાર્યને તેવા સ્વભાવથી યુક્તરૂપે ગ્રહણ ન કરે, તો પ્રત્યક્ષથી તેનું(=કાર્યનું) ગ્રહણ ન થવાનો પ્રસંગ આવે. આ પ્રત્યક્ષના સામર્થ્યથી મનમાં ઉત્પન્ન થતો વિલ્પ પણ તેવા જ પ્રકારે થાય છે. તેથી પ્રત્યક્ષ અનુપલભ્યઆદિથી કાર્ય-કારણભાવનો અધ્યવસાય થાય, એ વાત સંગત જ છે. પરિ૮૮ાા ધર્મસંગ્રહણિ ભાગ-1 ૮૩
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy