________________
एतद्विशेषणायैवाह "तियसपाय विहिणा' त्रिदशपूजितं विधिना, उपपातान्तर्मुहानन्तरं सदा तृतीया यौवनलक्षणा दशा -अवस्था येषां ते त्रिदशा-वैमानिकादयो देवाः,परणार्थश्च वृत्तावन्तर्भूतो यथा तृतीयो भागस्त्रिभाग इति, तैः पूजितः-समभ्यर्चितो यो विधिना तदेकतानतादिलक्षणेन तं, 'नमिऊणेतिक्रियापदविशेषणं वा विधिना! नत्वेति। ननु यो वीतरागः सर्वज्ञश्च सोऽवश्यं त्रिदशपूजित एवेति नार्थोऽनेन विशेषणेन, तदयुक्तं मुण्डकेवलिप्रभृतीनां केषाञ्चिदत्रिदशपूजितानामपि यथोक्तविशेषणविशिष्टत्वात, तद्व्यवच्छेदार्थ त्रिदशपूजितग्रहणम्। यद्येवं तर्हि त्रिदशपूजितमित्येतावदेवास्तु, कृतं वीतरागादिग्रहणेन, न, अवीतरागाणामपि गणघरादीनां त्रिदशपूजितत्वश्रवणात् तदपनोदार्थ वीतरागादिग्रहणम्। पुनरप्येतद्विशेषणायैवाह जहनायवत्थुवादि' यथाज्ञातवस्तुवादिनं, भूतभवद्भाविभावस्वभावावभासिना केवलज्योतिषा (यथा यथा-सदसदूपत्वादिना प्रकारेण ज्ञातं-परिच्छिन्नं वस्तु (तथातथा वदितुं शीलो यथाज्ञातवस्तुवादी तम् । ननु यो वीतरागः सर्वज्ञस्त्रिदशपूजितश्च स यथाज्ञातवस्तुवाद्येवेति किमनेन विशेषणेना, न अस्य कुवादिमतव्यवच्छेदार्थत्वात्। विद्यते हि परेषामेवंविधोऽप्यसदभ्युपगमो, यथा-'वीतरागत्वादिविशेषणयुक्तोऽपि न - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -----
શંકા :- જો આમ “સર્વજ્ઞ પદનો ઉલ્લેખ આવશ્યક હોય, તો વીતરાગ"પદની આવશ્યક્તા નથી. કારણ કે ભલે વીતરાગ સર્વજ્ઞ હોય કે ન પણ હોય, પરંતુ સર્વજ્ઞ તો અવશ્ય વીતરાગ જ હોય. કેમકે વીતરાગતા વિના સર્વજ્ઞતા આવતી નથી. તેથી સર્વાના થનથી અર્થતઃ વીતરાગનું કથન પણ થઈ જાય છે. તેથી વીતરાગ' પદનું ઉપાદાન માત્ર પુન– નિરૂપ જ છે.'
સમાધાન :- તમારી આ વાત પણ સંગત નથી. કેમકે (૧) સક્લ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી શાસ્ત્રના સારરૂપ અમૃતને પામેલા શાસ્ત્રજ્ઞો વીતરાગ ન હોય તો પણ લોકે તેમને ઉપચારથી “સર્વજ્ઞ તરીકે બીરદાવે છે. આમ અવીતરાગને પણ સર્વા કહેવાનો વ્યવહાર છે. આવા અવીતરાગોને બાકાત વાદ્વારા વીતરાગ વિશેષણ સાર્થક છે. વળી (૨) આજીવિનયમતને અનુસરનારા ગોશાળના શિષ્યો વાસ્તવમાં અવીતરાગને સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. કેમકે તેઓના આગમમાં મુક્તિને પામેલાઓ પણ તીર્થની અવહેલના જોઈ અહીં (સંસારમાં) આવે છે." એવું વચન છે. જેઓ તત્વથી વીતરાગ હોય, તેઓમાં રાગદ્વેષનો સર્વથા અભાવ હોય છે તેથી તેઓને તીર્થની અવહેલના જોવાથી પણ રાગદ્વેષ થતો નથી. અને સંસારમાં પાછા આવવાનું હોતું નથી. તેથી તીર્થના તિરસ્કારને જોવાથી જેઓ સંસારમાં પાછા આવે છે. તેઓ રાગદ્વેષથી યુક્ત છે. કેમકે રાગદ્વેષની હાજરીમાં જ સંસારમાં જન્મ છે. રાગદ્વેષના અભાવમાં નવો જન્મ નથી. આમ આજીવિકમતવાળાઓએ સ્વીકારેલા આપ્તપુરુષ વીતરાગ નથી. આમ તેમના વ્યવચ્છેદમાટે વીતરાગપદ આવશ્યક છે.
(ત્રિદશપૂજિતવિશેષણની આવશ્યક્તા). આના જ(વીતરાગના) વિશેષણ તરીકે નિયપૂર-ત્રિદશ-દેવતાઓથી વિધિપૂર્વક પૂજાયેલા"પદ દર્શાવ્યું છે. ઉપપાતથી જન્મ થયા બાદ પ્રથમ અન્તર્મુહર્ત પછી તત કાયમમાટે ત્રીજી યૌવનરૂપ દશા-અવસ્થા જેઓની હોય છે, તે ત્રિદશ વૈમાનિક દેવો. અર્થાત દેવો હંમેશા યુવાનીરૂપ ત્રીજી અવસ્થામાં જ રહેતા હોવાથી તેઓ ત્રિદશ કહેવાય છે. જોકે સંખ્યાવાચક “ત્રિ શબ્દને સંખ્યાપૂરકપ્રત્યય લાગી “તૃતીય શબ્દ બન્યો છે. અને વાક્યઅવસ્થામાં “તૃતીય પદ ઉપયુક્ત છે. છતાં પણ સમાસવૃત્તિ થવાથી “તૃતીયમાં રહેલો પૂરણપ્રત્યય લુપ્ત થયો તેથી ત્રિદશ"પદ બન્યું. માં પણ આ સમાસમાં સંખ્યાપૂરકઅર્થ સમાયેલો તો છે જ. જેમકે તૃતીય ભાગ:=ત્રિભાગ: (ત્રિભાગ ત્રીજોભાગ). આ ત્રિદશ-દેવોથી પૂજામાં એકતાન થવું વગેરે વિધિથી જે (વીતરાગ સર્વર મહાવીર પ્રભુ) પૂજાયા છે તે (વીતરાગ...) ને નમસ્કાર કરી. અથવા ‘વિધિનાપદ ક્રિયાવિશેષણ છે, અર્થાત્ નવા પદસાથે સંબંધિત છે. જોકે ષિાવિશેષણને નપુંસકલિંગ બીજી વિભક્તિ એક્વચનનો પ્રત્યય લાગે છે. છતાં અહીં જે ત્રીજી વિભક્તિ એક્વચનનું રૂપ વાપર્યું છે. તે હેતુની (અહીં વિધિની) પ્રધાનતા દર્શાવવામાટે છે. તેથી ઘેષ નથી.
શંકા :- વીતરાગપણું અને સર્વશપણું આ બને, જીવનું સર્વોત્તમ ઐશ્વર્ય છે, સર્વશ્રેષ્ઠ ગુણ છે અને દરેકને માટે પરમસાણભૂત છે. તેથી વીતરાગભાવને અને સર્વાપણાને ઝંખતા દેવો વીતરાગ અને સર્વત થયેલાને પૂજે તે નિર્વિવાદ છે. આ વાત વીતરાગ"પદ અને “સર્વ પદ મુદ્દાથી સુચિત થઈ જાય છે. તેથી ફરીથી “ત્રિદાપૂજિત’ વિરોષણનો વાઘેલ્લેખ કરવામાં પુનરૂક્તિ સિવાય બીજો કેઇ અર્થ સસ્તો નથી.
સમાધાન :- તમારી વાત સરાહનીય નથી. કેમકે અતિરાય વિનાના મુક્વળી વગેરે વીતરાગ સર્વ દેવોથી પૂજાતા નથી. આમ તેમના વ્યવચ્છેદમાટે “ત્રિદાપૂજિત વિરોષણ કરી છે.
રાંકા:- તમારા કહેવાથી વીતરાગ અને સર્વજ્ઞ દેવોથી પૂજાય જ છે તેવો એકાન્ત નિયમ ભલે ન હો, પણ જે દેવોથી પૂજાય તે અવશ્ય વીતરાગ અને સર્વજ્ઞ હોય જ તેવો નિયમ તો છે જ. તેથી દેવોથી પૂજાયેલા તેટલું કહેવા
1. ડુત્વપ્રવાવિવલયા સુતીયા કુંવંs I 2. અતિશયdહતા. સામાન્યશ્રમના મુજ : |
ધર્મસંગ્રહણિ ભાગ-૧
૪