SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ चित्तो कम्मसहावो भणिओ तत्तो य लाभहरणादी । सिद्धत्ति अत्थि जीवो तम्हा परलोगगामी. तु ॥ १५८ ॥ (चित्रः कर्मस्वभावो भणितस्ततश्च लाभहरणादिः । सिद्ध इति अस्ति जीवस्तस्मात्परलोकगामी तु) "चित्रो नानारूपः कर्मणां-सातादिवेदनीयादीनां स्वभावो भणितः प्राक। तत्र 'अदिद्रुगंतफलेत्यादिना सामान्यतः कम्माभिहितं, कर्मण एवादृष्टशब्दवाच्यत्वात्, 'न विवज्जयम्मी'त्यादिना तु तस्यैव शुभाशुभभेदेन स्वभाववैचित्र्यमिति । 'तत्तो य लाभहरणादी सिद्धत्ति;' तत एव तस्मादेव चित्ररूपात्कर्मणः सकाशात् लाभहरणादिः सिद्धो, न तु भूतानां तथास्वभावत्वतः, भेदकमन्तरेण तथास्वभावत्वविशेषस्यैवासंभवात, भेदकाभ्युपगमे च पर्यायतः कर्मण एवाभ्युपगमात, तस्य च कर्मणः कर्तारमन्तरेणानुपपद्यमानत्वात्तत्कर्तुस्तदन्यथाऽनुपपत्त्याउनुमीयमानस्य जीवस्य पूर्वभवेऽप्यस्तित्वं सिद्ध, तस्मादस्त्येव जीवः परलोकगामी । तुरवधारणे भिन्नक्रमश्च स चास्तीति क्रियया सह योजित एव । एवं च मति यदुक्तं--'परलोकिनोऽभावात, देवनारकत्वादिलक्षणपरलोकाभाव इत्यादि,' तत्सर्वमसमीचीनमेवेति स्थितम् । १५८ ॥ ॥ भौतिकपुरुषवादिमतपरीक्षा समाप्ता ॥ જ બનીવો માનિ પત્યાદિતા થાય ત્ નીવ પ્રત્યુત્ત તત્સમર્થત . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સિદ્ધિ થાય છે.) ૧૫ના જગતમાં અત્યન્ત અસત્ વસ્તુ ઉત્પન્ન થતી નથી. અને સત્ વસ્તુનો નિરન્વય નાશ થતો નથી. પરંતુ થંચિત સત વસ્તુ જ ભાવાન્તરૂપે પરિણામ પામે છે. તેથી વિજ્ઞાન વગેરે વસ્તુનું સ્વરૂપ અન્વયથી વ્યાપ્ત છે. (અર્થાત વિજ્ઞાનમાં લેઈક ભાવનો અન્વય અવશ્ય હોવો જોઇએ. અને ) વિજ્ઞાન અન્ય વિજ્ઞાનપૂર્વક (વિજ્ઞાનમાં અન્ય વિજ્ઞાનનો અન્વય) ન હોય, તો વિજ્ઞાનની અન્વયની વિરુદ્ધ અત્યન્ત અસમાંથી ઉત્પત્તિ સ્વીકારવી પડે. (પણ આ સંભવિત નથી. કેમકે ઘડાવગેરેમાં પણ તથોત્પત્તિનો પ્રસંગ છે.) આમ વિપક્ષમાં વ્યાપકથી વિરુદ્ધની ઉપલબ્ધિ થાય છે. તેથી વ્યાપ્યભૂત વિજ્ઞાન પણ વિપક્ષમાંથી વ્યાવૃત્ત થાય છે. અને વિજ્ઞાનાન્તરપૂર્વક્વ(નંદ રૂપે અન્વય)થી વ્યાપ્ત થાય છે. અર્થાત્ આમ જો વિજ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વક હોય, તો જ અન્વયયુક્ત બને. વિજ્ઞાનપૂર્વક્તા વ્યાપક(સાધ્ય) છે. અન્વયયુક્તતા વ્યાપ્ય હેતુ છે. વિજ્ઞાનભિન્ન વસ્તુ અથવા અસતની અપેક્ષાએ વિજ્ઞાનમાં વિજ્ઞાનાન્તરપૂર્વકતા નથી. તો અન્વયયુક્તતા પણ ઉપલબ્ધ થતી નથી. આમ વ્યતિરધ્યાતિથી વિજ્ઞાનાન્નપૂર્વકના અને અન્વયુન્નતાનો સંબંધ મળે છે. તેથી વિજ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વક સિદ્ધ થાય છે. (કર્મવિચિત્રતાજન્ય લાભનુકશાનથી જીવસિદ્ધિ) વળી અમે જે આશંકા કરી કે “અપ્રાપ્ત ધનની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધનની હાનિ ઈત્યાદિ પ્રતિનિયત સુખ–દુખભાવોની વિચિત્રતા નિયામક વિના સંભવે નહિ. તે બરાબર જ છે. કેમકે તમે (નાસ્તિકો) જે જવાબ આપ્યો કે “ભૂતોના જ તેવા સ્વભાવથી વિચિત્રતા સંભવે છે કેમકે જીવો તો પાણીના પરપોટા જેવા છે.” તે બરાબર નથી. કેમકે પાણીના પરપોટાનું દષ્ટાન્ન જીવની સિદ્ધિમાં કારણભૂત છે. તે આ પ્રમાણે પાણીની હાજરીમાત્રથી કંઈ તેમાં પરપોટા ઉત્પન્ન થતાં નથી. જે પાણી હોવા માત્રથી પરપોટા ઉત્પન્ન થતા હોય, માત્ર પાણી જ જો પરપોટાનું કારણ હોય, તો હંમેશા બધે પાણીસ્થળે પરપોટા થવા જોઈએ. કારણકે હંમેશા સર્વત્ર પરપોટામાં કારણભૂત પાણી સમાનતયા હાજર છે. પણ હંમેશા–સર્વત્ર પરપોટા દેખાતા નથી. આમ પાણીની હાજરી સર્વત્ર સમાનતયા હોવા છતાં પરપોટાના ભાવ અને અભાવરૂપ વિચિત્રતા અન્ય કારણની હાજરી વિના અસંભવિત છે. તેથી તે વિચિત્રતા, પરપોટાના સહકારી-કારણતરી, પવનવિરોષનું સૂચન કરે છે. આ જ પ્રમાણે, ભૂતમાગરૂપે સમાન હોવા છતાં મનુષ્ય, પશુઆરૂિપે અથવા સુખી-દુ:ખી આદિરૂપે જે વિચિત્રતા દેખાય છે, તે અન્યથા અસંભવિત થવા દ્વારા “અષ્ટનો નિર્ણય કરાવે છે. આ અષ્ટના કાર્યો વિચિત્ર દેખાતા હોવાથી અદષ્ટ પણ વિચિત્ર છે. ક્યાં જ છે “આત્મા તરીક સમાન એવા પણ તેમાં મનુષ્યઆફિપ વિચિત્રતા જેના કારણે છે. તે કર્મ સંજ્ઞા(ઓળખ)પામેલું વિચિત્ર અદૈષ્ટ છે આ અર્થનો અણસાર આપતા આચાર્ય કહે છે. ગાથાર્થ :- કર્મસ્વભાવ વિચિત્ર ક્વો છે. તેથી પ્રાપ્તિ-હાનિ સિદ્ધ થાય છે. અને તેથી પશ્લોકગામી જીવ છે તેમ સિદ્ધ થાય છે. પૂર્વે શાતાવેદનીયવગેરે કર્મોનો વિચિત્ર સ્વભાવ %ો. તેમાં “અશ્વિગંતલા (ગા. ૧૪૩) ઈત્યાદિથી કર્મની સામાન્યથી પ્રરૂપણા કરી. કારણકે “અષ્ટાબ્દથી કર્મનું જ અભિધાન થાય છે. ન વિવયમ્મિ ઈજ્યાદિથી તે કર્મની જ શુભાશુભ ભેદથી સ્વભાવવિચિત્રતા બતાવી. આ વિચિત્ર સ્વરૂપવાળા કર્મને કારણે જ લાભ-હાનિ સિદ્ધ થાય છે. નહિ કે ભૂતોના તેવા સ્વભાવના કારણે, કારણકે ભેદકના અભાવમાં તથાસ્વભાવમાં વૈચિત્ર્ય સંભવે નહિ. (અર્થાત્ સ્વભાવનો ભેદ પણ ભેદ પાડનાર અન્ય વસ્તુ પર આધારિત છે.) અને ભેદકને સ્વીકારવાથી નામાન્તરથી કર્મનો જ સ્વીકાર થાય છે. અને ના અભાવમાં કર્મ સંભવે નહિ. તેથી કર્મની અન્યથા અનુપપત્તિના બળપર કર્મના કર્તાનું અનુમાન થાય છે. અને તે તરીક જીવ જ અનુમાનનો વિષય બને છે. તે જીવ પૂર્વભવમાં પણ વિદ્યમાન હતો, તેમજ સિદ્ધ થાય છે. તેથી “પરલોકગામી જીવ છે જ એમ સિદ્ધ થાય છે. (મૂળમાં “તુપદ જકારઅર્થક છે. અને તેનો અન્વયે “અતિ યિાપદ સાથે કરવાનો છે.) તેથી “પરલોકમાં જનાર જીવનો અભાવ હેવાથી દેવ, નાવગેરે પરલોકનો પણ અભાવ છે.” ઈત્યાદિ નાસ્તિક્વચન સર્વથા અસંગત કરે છે. ૧૫૮ાા પૂર્વે જીવો અનાઇ નિહણો ઈત્યાદિ દ્વારગાથામાં જે જીવ પદ મુક્યું હતું તેનું વિસ્તારથી સમર્થન ક્યું....... ભૌતિકપુરુષવાદી નાતિક) મતની પરીક્ષા પૂર્ણ થઇ. ધર્મસંગ્રહણિ ભાગ-૧ જે ૧૦૦
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy