SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ - इय संभवाणुमाणा सिद्धमिणं जं च भूतवतिरित्तं । साहियमिह चेयण्णं भूयसभावं ति वोऽजुत्तं ॥ १५३ ॥ સલમાન (इति संभवानुमानात् सिद्धमिदं यच्च भूतव्यतिरिक्तम् । साधितमिदं चैतन्यं भूतस्वभावमिति ततोऽयुक्तम्) 'इति': एवमुक्तप्रकारेण संभवानुमानादिदं जातिस्मरणं सिद्धम् । यदप्यवादीत्--'भूतानां चित्रस्वभावतया स्वप्नज्ञानमिवार्थतथाभावविकलं जातिस्मरणमुत्पद्यत इति, तदप्ययुक्तम्, यत आह- 'जं चेत्यादि' यत्-यस्मात्कारणादिह ग्रन्ये प्राक् भूतव्यतिरिक्तं चैतन्यं प्रपञ्चेन साधितं, 'तो' तस्मादिदं चैतन्यं भूतस्वभावमित्ययुक्तम् । एतेन यदपि प्राक् 'थणाभिलासाओ चेव' इत्यत्र प्रतिविधानमभिहितं यथा- 'भूयसहावाउ इमरंपित्ति, तदपि प्रतिक्षिप्तमवगन्तव्यम्। ततश्च यदस्माभिः प्राक् प्रत्यपादि -- 'यथा बालकस्य प्रथमत एवोत्पन्नस्य स्तनदर्शनानन्तरं स्तनादानेऽभिलाषो जायते स चाभिलाषः पूर्वमित्यादि यावदस्ति देहातिरिक्तः परलोकानुयायी जीव इति तत्समीचीनमेव । अपि च-आस्तां तावदभिलाषस्यानुभवपूर्वकत्वात्परलोकयायी जीवः सिद्धः, किंत्वभिलाषान्तरपूर्वकत्वानुमानतोऽपि सिद्धः ॥१५३॥ एतदेवोपदर्शयन्नाह-जो बालथणभिलासो पढमो अहिलासपुव्वगो सोऽवि । . अहिलासत्ता जूणो जह विलयाहार अहिलासो ॥ १५४ ॥ ( यो बालस्तनाभिलाषः प्रथमोऽभिलावपूर्वकः सोऽपि । अभिलाषत्वाद् यूनो यथा वनीताहाराभिलाषः) આ સંભવ અનુમાનનું ભાવન કરતા કહે છે. ગાથાર્થ :- જેમ કોઇક વૃદ્ધ થયેલા તીવ્રાયોપશમવાળા પુરુષને બાળઅવસ્થામાં કરેલા કૃત્યોનું પણ અનુસ્મરણ થાય છે, તેમ જાતિસ્મરણ કેમ ન સંભવે ? સંભવે જ છે. કેમકે તેટલા કાળ પહેલાના કાર્યઅંગેનાં જાતિસ્મરણમાં કારણભૂત ક્ષયોપશમ વિશેષ પણ સંભવી શકે છે. (સ્મૃતિજ્ઞાન અને તેના કારણભૂત થયોપશમનો તતમભાવ આ ભવની અપેક્ષાએ સિદ્ધ છે. તેના બળપર કોઈનો થયોપશમ વધુ તીવ્ર હોય, અને પૂર્વભવની સ્મૃતિ પણ થાય, તેમ સંભવ અનુમાન થઈ શકે છે.) ૧૫સા ઉપસંહાર બતાવે છે. ગાથાર્થ :- આમ સંભવઅનુમાનથી આ (=જાતિસ્મરણ) સિદ્ધ થાય છે. વળી ચૈતન્યને ભૂતોથી ભિન્નતરીકે સિદ્ધ કર્યું હોવાથી, ચૈતન્યને ભૂતના સ્વભાવરૂપ સ્વીકારવું અયોગ્ય છે. (પ્રથમસ્તનાભિલાષથી પરલોસિદ્ધિ) આમ સંભવાનુમાનથી જાતિસ્મરણ સિદ્ધ થાય છે. વળી નાસ્તિકે (ગા. ૧૪૮ની ટીકામાં) જે ક્યું કે ભૂતોનો સ્વભાવ વિચિત્ર છે. તેથી સ્વપ્નજ્ઞાનની જેમ અર્થના તથાભાવથી રહિત જાતિસ્મરણ ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ તે બધું અર્થહીન છે. કેમકે આ જ ગ્રન્થમાં પૂર્વે મોટા વિસ્તારથી ચૈતન્યની ભૂતોથી ભિન્નતા સિદ્ધ કરી છે. તેથી ચૈતન્યને ભૂતનો સ્વભાવ લ્પી તે સ્વભાવની વિચિત્રતાથી જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિ સ્વીકારવી અયોગ્ય છે. તેથી જ પૂર્વે જે હ્યું કે સ્તનના અભિલાષથી.. ઇત્યાદિ તેના જવાબમાં નાસ્તિકોએ જે ક્યું કે ભૂતના સ્વભાવથી અન્ય પણ સિદ્ધ છે ત્યાદિ તે કથન પણ અયોગ્ય ઠરે છે. (કેમકે અભિલાષવગેરે ચૈતન્યવાનના ધર્મો ભૂતમાં સંભવતા નથી.) તેથી અમે પૂર્વે જે પ્રતિપાદન કર્યું કે, “ઉત્પત્તિના પ્રારંભકાળમાં જ વર્તતા બાળકને સ્તનના દર્શનથી તેઅંગેનો અભિલાષ ઉત્પન્ન થાય છે, અને તે અભિલાષ અનુભવપૂર્વનો જ હોય છે યાવત્ દેહથી ભિન્ન પરલોક્યાયી જીવ છે” એ બધું સુયોગ્ય જ સિદ્ધ થાય છે. વળી, “અભિલાષ અનુભવપૂર્વક હોવાથી પરલોક્યાયી જીવ સિદ્ધ થાય છે” એ વાત તો દૂર રાખો, પણ અભિલાષ, અન્યઅભિલાષપૂર્વક જ હોય છે. એવા અનુમાનથી પણ પરલોક્યાયી જીવ સિદ્ધ થાય છે. ૫૧૫૩ગા આ જ વાતનું ઉપદર્શન કરતા કહે છે. ગાથાર્થ :- બાળક્ને જે પ્રથમ સ્તનાભિલાષ થાય છે, તે પણ અભિલાષપૂર્વક જ હોય છે, કેમકે તે અભિલાષરૂપ છે. જેમકે યુવાનને સ્ત્રી, આહાર અભિલાષ. (મૂળમાં અપિ’શબ્દ જ કારઅર્થક છે, અને તેનો સંબંધ અભિલાષપૂર્વક પદ પછી છે.) અનુમાનપ્રયોગ ‘બાળકને થતો પ્રથમસ્તનાભિલાષ અભિલાષપૂર્વક હોય છે, કેમકે અભિલાષરૂપ છે. જેમકે યુવાનને થતો સ્ત્રી અને આહારનો અભિલાષ. પૂર્વપક્ષ :- અહીં તમે યુવાનના સ્ત્રીવગેરેના અભિલાષને બાળકના સ્તનઆદિના અભિલાષપૂર્વક જોવાથી આવી વ્યાપ્તિ બાંધી, કે અભિલાષ અભિલાષપૂર્વક હોય, અને તેના બળપર બાળકનો અભિલાષ અભિલાષપૂર્વક હોય છે તેમ સિદ્ધ કર્યું. પણ આ બરાબર નથી. તમે જે અભિલાષની અભિલાષપૂર્વક્તાની સિદ્ધિ કરી તે અભિલાષ યુવાનના છે. અર્થાત્ તે અભિલાષના ધર્માં યુવાન છે. જ્યારે સાધ્યભૂત અભિલાષના ધર્માંતરીકે બાળક ઇષ્ટ છે. તેથી તમારી વ્યાપ્તિ બાળરૂપ ધર્માંથી અન્યમાં સિદ્ધ હોવાથી બહિર્ષ્યાસિરૂપ છે. હા, જો તમે અન્ય બાળકમાં જ પ્રથમ અભિલાષને અભિલાષપૂર્વક્તરીકે સિદ્ધ કરો, તો અન્તર્યામિ બને. અથવા બહિર્યાપ્તિ-પ્રથમ દર્શને દેખાતો સહચાર. આ વ્યાપ્તિથી વસ્તુની સિદ્ધિ થતી નથી, કેમકે એવો સહચાર તો ઘણે સ્થળે દેખાય છે. અનુમાનયોગ્ય વ્યાપ્તિ તો અન્તર્યામિઅવિનાભાવથી જ સિદ્ધ થાય છે. બહિર્યાપ્તિમાત્રથી કંઈ વસ્તુના તેવા સ્વરૂપની સિદ્ધિ થઈ શક્તી નથી. કેમકે તે (ગર્ભમાં રહેલ બાળક) શ્યામ છે, કેમકે તેનો (વ્યક્તિવિશેષનો) પુત્ર છે. જેમકે તેના અન્ય પુત્રો ઇત્યાદિ પણ વસ્તુના સ્વરૂપના નિર્ણાયક થવાનો પ્રસંગ છે. તેથી વસ્તુની સિદ્ધિ અન્તર્યાતિથી જ થાય છે તેમ સિદ્ધ થાય છે. ક્યું જ કે “અન્તર્યાપ્તિ અપ્રસિદ્ધ હોય, અને જો બહિર્યાપ્તિ જ હોય. તો ત્યાં (બહિર્યાપ્તિસ્થળે) સાધ્ય સિદ્ધ ન થાય. કેમકે જે અન્યત્ર વ્યાપ્તિથી અન્યની સિદ્ધિ થતી હોય, તો બધાની જ (બધાજ અસત્ સાધ્યોની પણ સિદ્ધિ થવાનો પ્રસંગ છે." અને પ્રસ્તુતમાં અન્ય બાળક ના પ્રથમ અભિલાષના અભિલાષ પૂર્વક્તાના નિર્ણય રૂપ અન્તર્યામિ સિદ્ધ નથી. કેમકે ધર્મસંગ્રહણિ ભાગની ૧૨૭
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy