SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ હીરસૌભાગ્ય મહાકાવ્યમાં પણ આનો ઉલ્લેખ છે. શીલરત્નસૂરિષ્કૃત ચતુર્વિંશતિજિનસ્તુતિ(આત્માનંદ સભા પ્રકાશિત, ભાવનગર) માં પ્ ૯/૨ માં, તથા એ જ પ્રતિમાં છપાયેલી ખુશાલવિજયવિરચિત (સં. ૧૮૮૧) પુરૂષાદાની પાર્શ્વદેવનામમાલા (પૃ. ૧૧) માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. શ્રી આત્માનંદ સભા પ્રકાશિત જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય (પૃ ૩૦, ૫૨, ૭૯, ૨૭૭) માં પણ જુદા જુદા રાસોમાં આ તીર્થનો ઉલ્લેખ છે. યશોવિ. ગ્રંથમાલા પ્રકાશિત પ્રાચીનતીર્થમાલાસંગ્રહ (ભાગ ૧ પૃ. ૯૮, ૧૧૪, ૧૫૧, ૧૬૯, ૧૯૮ ) માં પણ જુદા જુદા મુનિરાજોએ આ તીર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ન્યાયવિશારદ વાચકવર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ અહિં પધાર્યા હતા અને તેમણે સ્તુતિમાં બે સ્તવનો બનાવ્યાં છે. * ઐતિહાસિક માહિતી આપતા સંસ્કૃત-પ્રાકૃત ઉલ્લેખોનું ગુજરાતી ૪. ''શ્રીનીરાપાિ તવધિ-લિડ-ટેશ્વર-પાવાગઞાસળસ(A) શ્વર ચારૂપ-રાવળ-પાર્શ્વવીળાવીશ્વર-ચિત્રટાડડધાટ-શ્રીપુર-સ્તમ્ભનપાર્શ્વ-રાળપુર ચતુર્ભુવविहाराद्यनेक-तीर्थानि यानि जगतीतले वर्तमानानि यानि चाऽतीतानागतानि तानि सर्वाण्यपि तत्तत्काल-प्रधानचतुरनर-शिरोरत्नपुरुषपुरन्दर प्रवर्तितान्यैव न तु स्वयं समुत्पन्नानि । अत एव વસુધામરણં પુરુષ વ’’- ૩પ. ત× પૃ. ૬ (યશો વિ. ગ્રં. પ્રાશિત) આનું સંપાદન સં. ૧૫૧૯ માં લખાયેલી પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. એટલે તે પહેલાંનો આ ગ્રંથ ખરો જ. ૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણિવિરચિત તપાગચ્છ પટ્ટાવલી કે જે સં. ૧૬૪૮ માં બરાબર રચાઈ ગઈ હતી તેમાં પણ પૃ. ૭૩ માં (પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી સંપાદિત પટ્ટાવલીસમુચ્ચયાંતર્ગત) હીરસોભાગ્ય કાવ્યનો ઉલ્લેખ હોવાથી સં. ૧૬૪૮ પહેલાં જ આ કાવ્યની રચના થઇ હશે. તેમાં ૬ઠ્ઠા સર્ગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે— अपि पार्श्वजिनान्तरिक्षकाभिध उच्चैः स्थितिकैतवादिह । किमु लम्भयितुं महोदयं भविनां भूवलयात्· प्रचेलिवान् ।। १८ ।। फणभृद् भगवन्निभालनादनुभूताहिविभुत्ववैभवः । स्पृहयन् મુવનયીશતાં હળવમ્માદ્ ભવતીવ યં પુન://††।। એક તો ‘જય જય જય જય પાસ જિણંદ. અંતરીક પ્રભુ ત્રિભુવનતારક ભવિક કમલ ઉલ્લાસ દિણંદ’’ - આ ૬ કડીનું સ્તવન છે. તથા બીજું “ભેટે ભેટે સલુને પ્રભુ અંતરીક ભેંટે''- આ ૩ કડીનું સ્તવન છે. આ બંને સ્તવનો ઘણાં પુસ્તકોમાં છપાયાં છે. ૬. આ સિવાય મહિમાસાગર શિષ્ય આનંદવર્ધનકૃત અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્ર (જૈનધર્મસિંધુ પૃ. ૫૩૭), વિનયપ્રભસૂરિકૃત તીર્થયાત્રા સ્તવન, સમયસુંદરકૃત (સં. ૧૬૮૬) તીર્થમાલા વિગેરે-વિગેરે અનેક ગુજરાતી કાવ્યોમાં આ તીર્થનો ઉલ્લેખ છે. ૬૫
SR No.006032
Book TitleJain Shwetambar Tirth Antariksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Balchandra Sahityachandra Hirachandra
PublisherSiddhi Bhuvan Manohar Jain Trust
Publication Year2014
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy