SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થhe હું (ભાવવિજયજી ગણિએ) સ્વયં અનુભવેલા ચમત્કારનું બીજાઓના ઉપકારને માટે વર્ણન કરું છું જંબૂઢીપના ભરતક્ષેત્રના મધ્યખંડને શોભાવતું સત્યપુર (સાચોર) નામનું વનખંડોથી સુશોભિત નગર હતું. તે નગરમાં ઓશવાલવંશમાં રાજમલ્લ નામના ગૃહસ્થ હતા. તેમને મૂલી નામની પત્નીથી ભાનિરામ નામનો એક પુત્ર થયો હતો. એક વખત તે નગરમાં ઉપશમ આદિ ગુણોના ભંડાર શ્રી વિજયદેવસૂરિજી સાધુઓના પરિવાર સાથે પધાર્યા હતા. જેમ મયૂરી મેઘના આગમનથી ખુશી-રાજી થાય તેમ ગુરૂમહારાજના આગમનથી આનંદિત થયેલા શ્રાવકો તેમને વંદન કરવા માટે ગયા. જેમ ચાતકો મેઘના જલને પીવા માટે અતિ ઉત્કંઠિત હોય છે તેમ શ્રાવકો ગુરૂમહારાજાના મુખમાંથી વરસતા વચનામૃતનું પાન કરવા માટે ઉત્કંઠિત બનીને ગુરૂમહારાજને વંદન કરીને તેમની દેશના સાંભળવા માટે બેઠા. પછી આચાર્ય મહારાજે સાત નય અને ચતુર્ભગીથી યુક્ત તથા દુરિત -(પાપ) ને દૂર કરનારી અમૃત કરતાં પણ અધિક મીઠી ધર્મદેશના આપી. તેમની દેશનાથી પ્રતિબોધ પામીને મેં બહુ હર્ષપૂર્વક દીક્ષા લીધી. દીક્ષાસમયે ગુરૂમહારાજે મારું ભાવવિજય એવું નામ રાખ્યું. ત્યારપછી ગુરૂમહારાજની સાથે મારવાડમાં વિચરતા મેં સૂત્ર વગેરેનો યથારુચિ અભ્યાસ કર્યો. પછી તેથી સંતુષ્ટ થયેલા ગુરૂમહારાજે જોધપુર નગરમાં સંઘસમક્ષ મને ગણિ પદવી આપી. ત્યારપછી પાટણના સંઘની વિજ્ઞપ્તિથી ગુરૂમહારાજ વચમાં આબુ (અર્બુદગિરિ) ની યાત્રા કરીને શિષ્યો સાથે ગુજરાતમાં પધાર્યા. રસ્તામાં જતાં ગ્રીષ્મઋતુની ઉષ્ણતાને લીધે મારી આંખોમાં રોગ લાગુ પડ્યો, પણ જેમ તેમ કરીને કષ્ટથી ગુરૂમહારાજ સાથે પાટણ પહોંચ્યો. ત્યાંના શ્રીમંત શ્રાવકોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યો, પણ મારી આંખોમાં કશો ફાયદો થયો નહીં. છેવટે મારી આંખો ચાલી ગઈ અને હું અંધ બન્યો. દિવા વિના ઘરની જેમ નેત્રરહિત થયેલાં મેં એક વખત આ. શ્રી વિજયદેવસૂરિને ગયેલી આંખો ફરી પ્રાપ્ત થાય તે માટે ઉપાય પૂછ્યો. આચાર્ય મહારાજે કૃપા કરીને પૂર્ણ વિધિવિધાન સાથે પદ્માવતી દેવીનો
SR No.006032
Book TitleJain Shwetambar Tirth Antariksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Balchandra Sahityachandra Hirachandra
PublisherSiddhi Bhuvan Manohar Jain Trust
Publication Year2014
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy