________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે.
જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે.
એક ભોગી થવાનો બોધ કરે છે.
એક યોગી થવાનો બોધ કરે છે. એ બેમાંથી કોને સમ્મત કરીશું ? બન્ને શા માટે બોધ કરે છે ?
બન્ને કોને બોધ કરે છે ?
કોના પ્રેરવાથી કરે છે ?
કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે ?
?
એનાં કારણો શું છે તેનો સાક્ષી કોણ છે ?
તમે શું વાંછો છો ?
તે ક્યાંથી મળશે વા શામાં છે ?
તે કોણ મેળવશે ?
ક્યાં થઈને લાવશો ?
લાવવાનું કોણ શીખવશે ?
વા શીખ્યા છીએ ?
શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો ?
અપુનવૃત્તિરૂપે શીખ્યા છો ?
નહીં તો શિક્ષણ મિથ્યા ઠરશે.
૬૧
જીવન શું છે ?
જીવ શું છે ?
તમે શું છો ?
તમારી ઇચ્છાપૂર્વક કાં નથી થતું ?
તે કેમ કરી શકશો ?
બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે ?
તે ક્યાં ક્યાં કેમ કેમ છે ?
એનો નિર્ણય કરો.
અંતરમાં સુખ છે.
બહારમાં નથી.
સત્ય કહું છું.