________________
ॐ
અહો સત્પુરુષનાં વચનામૃત,
મુદ્રા અને સત્સમાગમ !
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર,
પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
દર્શનમાત્રથી પણ નિર્દોષ
અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ,
અને પૂર્ણ વીતરાગ
નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત;
—છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી
અનંત અવ્યાબાધ સ્વરૂપમાં
સ્થિતિ કરાવનાર !
ત્રિકાળ જયવંત વર્તો !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રીમદ્ રાજચંદ્ર