________________
૧૨
અપૂર્વ અવસર
અપૂર્વ અવસર
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો ? અપૂર્વ ૧
સર્વ ભાવથી ઓદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેત હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ૦ ૨
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ છે, દેહ ભિન્ન કેવલ ચેતન્યનું જ્ઞાન જો; તેથી પક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વ એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ૦ ૩
|
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ૦ ૪
સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆશા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ૦ ૫
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે, મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ૦