________________
મહાનુભાવ મરિચિ યાને
જીવન પ્રસંગથી સંકળાએલા છે. એ પ્રત્યેક ભવેના જીવન પ્રસંગે અનેક રીતે બેધપ્રદ હોવાથી અહીં મરિચિકુમારના ભવનું જીવન આલેખવાને પ્રયાસ કરવામાં આવે છે. ભગવાન શ્રી રાષભદેવજી પાસે મરિચકુમારની દીક્ષા
મરિચિકુમાર ભરત મહારાજાને ત્યાં પુત્ર રૂપે અવતર્યા. બાલ્યવયમાં માતપિતા તરફથી સુંદર સંસ્કારે મળવા ઉપરાંત
ગ્ય વયે સર્વ કળાઓનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આત્મામાં સમ્યગ્રદર્શનનું બીજ અને તજજન્યસંસ્કારનું સ્થાન તે નયસારના ભવથી જ પ્રાપ્ત થયેલ હતું. જેના અંતરાત્મામાં એ ગુણને પ્રકાશ અને તેને લાયક સંસ્કારનું સ્થાન હોય તે આત્માને ધન-દોલત તેમજ બાહ્ય સુખવિષયક વિપુલ ભોગપભેગની સામગ્રીમાં દિલને પ્રેમ પ્રાપ્ત થતું નથી. એ ઉત્તમ મહાનુભાને મેક્ષ અને મેક્ષના સાધનરૂપ દેવ-ગુરુધર્મ ઉપર વિશિષ્ટ અભિરુચિ હોય છે. જેને ભેગે પગની સામગ્રીમાં તીવ્ર આનંદ આવતો હોય તે આત્મા મિથ્યાષ્ટિ છે અને જે આત્માને દેવ-ગુરુ-ધર્મ અર્થાત્ આત્મકલ્યાણની સાધન સામગ્રી પ્રમોદ પ્રગટાવનારી બને છે તે આત્મા સમ્યગૂદષ્ટિ છે. આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. મરિચિકુમારે યુવાનીના આંગણે પ્રવેશ કર્યો ત્યારે ભગવાન શ્રી ઋષભદેવજીને વિશ્વના સૈકાલિક ભાવે જણાવનારું કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટ થઈ ચુક્યું હતું. હજારે મુમુક્ષુ આત્માઓ એ પ્રભુની અમૃતમય ધર્મ દેશના શ્રવણ કરી સંયમના પવિત્ર પંથે પ્રયાણ કરવા તૈયાર થઈ જતા હતા. મરિચિકુમાર પણ ભરયૌવનના પ્રારં