________________
શ્રમણ ભગવાન મહાવીર
મળ એ પ્રબળ ભાગ્યદય ગણાતો. કોઈપણ કાળ એ નથી કે જ્યારે આ પૃથ્વી માનવ સંખ્યાથી સર્વથા રહિત હોય. પરંતુ સતયુગના માનવમાં અને કલિયુગનાં (ચોથ આના માનવામાં અને પંચમ આરાના માનવમાં) માનવમાં આભ ધરતી જેટલું અંતર હોય છે. સતયુગના સમયે માનવ સમુદાયના મને મંદિરમાં માનવતાની ત જીવંત હોય છે. અને એ કારણે એ કાળના માન-કિંવા પશુપક્ષી વગેરે સર્વ નાના મોટા પ્રાણીઓ બહુલતાએ નિર્ભય તેમજ નિકુલ હોય છે, જ્યારે કલિયુગમાં વત્તતા માનવ સમુદાયના મને મંદિરમાં મેટા ભાગે પાશવતાને ઘેર અંઘ. . કાર જામેલ હોય છે. આવા સંજોગોમાં ભૌતિક વિકાસના એઠા નીચે માન-પશુ-પક્ષીઓ તેમજ અન્ય નાના મોટા પ્રાણીઓને નિર્ભયતા અને નિરાકુલતાના સ્થાને સદાય રાત્રિ-દિવસ સભયપણું અને એકધારી આકુલ-વ્યાકુલતા વળગેલી હોય છે. કોઈ વ્યક્તિ વિશેષ અપવાદ તરીકે નિર્ભય દષ્ટિગોચર થાય છે તે જુદી વાત છે.
ગ્રામમુખી નયસારનું સંસ્કારી જીવન નયસારની હયાતીને યુગ સંસ્કૃતિના વિકાસનો હતો. નયસારનું જીવન પણ સંસ્કારની સં રમથી મઘમઘતું હતું. ગૃહસ્થજીવન અને ઘરબાર માટે ઉપગી લાકડાની જરૂરિયાત હોવાથી પોતાના માણસો સાથે ગ્રામમુખી નયસાર ભજન વગેરે સામગ્રી સહિત એક અવસરે નજીકના કોઈ જંગલ પ્રદેશમાં પહોંચ્યા. આપણા દેશની પ્રાચીન પ્રણાલિકા