________________
૫૧
સુખાની ભીતરમાં મહાન શાકરૂપી અગ્નિની પ્રચંડ જવાલાએ ન જોઇ શકાય એ રીતે રહેલી જ હાય છે.' ચારાશી લાખ વર્ષના અત્યંત વૈભવ અને રગરાગ આસક્તિ ભરેલા એકધારા જીવન પછી, અસંખ્યાત વસા સુધી તેની અત્યંત કારમી શિક્ષા ભાગવવી પડી. આત્માના ઊંડાણમાંથી ઉત્પન્ન થતાં આનંદ–સુખ-શાંતિ-સમાધિ એજ સાચાં છે. બાકી પર પદાર્થોના સ’ચેાગથી જીવને જે સુખને અનુભવ થાય છે તે માત્ર ભ્રમ અને મિથ્યા કલ્પના છે, એટલું જ નહિ પણ પરિણામે દીર્ઘકાળ સુધી અત્યંત દુઃખ અને કલેશ આપવામા નિમિત્તરૂપ બને છે. માનવજાતે ભોતિક સુખાથી જ ડરવાનું અને દૂર રહેવાનુ છે, કારણ કે માનવ સ્વભાવમાં જે કાંઈ નિર્બળ અને અસ્થિર અશા છે, તેને ઉત્તેજનાર વસ્તુ ભોતિક સુખા છે, ત્યારે માનવ સ્વભાવમાં જે કાંઈ સબળ અને અચળ અંશે છે, તે તે આધાત અને વેદના દ્વારા પ્રકાશ પામે છે.
સ'સારની પ્રવૃત્તિમાં રચીપચી રહેલા જીવને નિઃત્તિના માર્ગ બતાવતા, દુખિયાને દિલાસો આપતા, નિરાશ થયેલા જીવાને આશા આપતા, પામર જીવાનો પામરતાને છેઃ શ્વેતા અને આધ્યાત્મિક ચિંતનના પુણ્યમા દર્શાવત આ ગ્રંથ જડવાદના યુગમાં એક આશીર્વાદ રૂપ થશે તે માટે મને કશી શંકા નથી. આવા સર્વોત્તમ ગ્રંથ તૈયાર કરવા માટે હું પૂ. આચાર્યં શ્રી વિજય ધસૂરીશ્વરજી મહારાજ સાહેબને કેટિકોટિ વંદન કરવા પૂર્વક ધન્યવાદ આપું છું.