________________
૪૭
અને ખીજી તરફથી માહના ઉપર આત્માનું દબાણુ થવુ શરૂ થાય છે. આ પરિસ્થિતિ પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસના પ્રારભ થઈ જાય છે.
ભગવાન મહાવીરના ભૂતકાલીન છવ્વીસ ભવા પૈકી મરિચિ રાજકુમારના ત્રીને ભવ, વિશ્વભૂતિ રાજકુમારને સેાળમે ભવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવના અઢારમાં ભવને ઇતિહાસ ખાસ સમજવા જેવા છે. આચાર્ય મહારાજશ્રીએ આ ત્રણેય ભવા ઉપરનું વિવેચન અને સમાલોચના બહુ વિસ્તૃત રીતે કરેલ છે, વર્તમાનકાળે માનવજાતિમાં પ્રવતી રહેલ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ રોગનું નિદાન તેમજ નિવારણુ ભગવાનના ભૂતકાલીન આ ત્રણે ભવામાંથી માનવજાતિને પ્રાપ્ત થાય તેવું છે. તેથી કરીને આ ગ્રંથના વાચકોને ભગવાનના આ ત્રણેય ભવે વિષેના વર્ણનના અત્યંત મનન અને ચિંતનપૂર્ણાંક અભ્યાસ કરવાની હું ભલામણુ કરું છું.
ત્રીજા ભવમાં રિચિએ જ્યારે જાણ્યુ કે તેના જ આત્મા આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચાવીશીના ચાવીસમાં તીથર થશે. તેમજ ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ અને પ્રિયમિત્ર નામના ચક્રવતી થશે, ત્યારે તેના મનમાં એક પ્રકારના અહુ ભાવની લાગણી ઉત્પન્ન થયા વિના ન રહી.
આ હકીકત જાણ્યાં પહેલાં પણ દીક્ષા લીધા બાદ પરીષહા સહન કરવાની અશક્તિના કારણે, તેણે સંયમ પાલનના નિયમા ઢીલા કર્યાં હતા, પણ તેમ છતાં તેની ધર્મ શ્રદ્ધા અખંડિત હતી. કોઇપણ વ્યકિત આચારથી પતિત થવા છતાં જે તેની