________________
છે કે, અહ અહા ! એવું મહાન તપ આપણુથી આ કાળમાં તે શી રીતે થાય? એવા એવા ઉપસર્ગો આપણે કઈ રીતે સહન કરી શકીએ ?
પરંતુ આ ગ્રંથ દ્વારા ભગવાન મહાવીરના પૂર્વ જન્મને ઈતિહાસ જાણવાથી આપણે આવી હતાશા ભરી લાગણીના ચૂરેચૂરા ઊડી જાય છે. આચાર્ય મહારાજશ્રીએ ગ્રંથની શરૂઆતમાં જ આ બાબત અંગે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કેઃ “ભગવાન મહાવીરને આત્મા અનાદિકાળની અપેક્ષાએ તે આપણું જેવા કર્મના આવરણ વાળે, અશુદ્ધ, સંસારવતી ચોરાશી લાખ જીવનિ કિંવા ચાર ગતિમાં પરિભ્રમણ કરનાર જીવાત્મા હતો.”
આ ગ્રંથનું બીજું વિશેષ મહત્ત્વ એ છે કે, ભગવાન મહાવીરના ભૂતકાલીન જુદા જુદા ભામાં થયેલ ઉલ્કાન્તિઅપકાતિના પ્રસંગોની સાથે સાથે એ પ્રસંગને અનુરૂપ એવું ધર્મશાસ્ત્રોનું તત્વજ્ઞાન પણ વણી લેવામાં આવ્યું છે. આ રીતે જૈનધર્મને લગતાં અનેક વિષયેનું નિરૂપણ એવી તલસ્પર્શી અને રેચક ભાષામાં થયેલું છે કે જેથી દરેક વાચકને વિના મુશ્કેલીએ ખાતરી થઈ જાય છે કે શાવારા સનધુરાર રિપુરાબર અર્થાત્ આત્મા જ પિતાને બંધુ અને આત્મા જ પિતાને દુશ્મન છે.
પ્રસ્તુત ગ્રંથમાં ભગવાન મહાવીરના તીર્થંકર થવા પહેલાંના ભૂતકાલીન મુખ્ય છવીસ ભવીનું વર્ણન આપવામાં