________________
આ બધું જાણવા અને સમજવાની ઈચ્છા સ્વાભાવિક રીતે દરેક મુમુક્ષુને થયા વિના ન જ રહે.
પ. પૂ. આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજ સાહેબે આવા જિજ્ઞાસુઓની ઈચ્છા તૃપ્તિ અર્થે “શ્રમણ ભગવાન મહાવીરને આ અમૂલ્ય ગ્રંથ તૈયાર કર્યો છે. તત્વજ્ઞાન ભરપૂર તેમના વ્યાખ્યાને જેમ વિશાળ શ્રોતા સમુદાયના એક અદ્ભુત આકર્ષણ રૂપ બની રહે છે. તેમ આ ગ્રંથની તેમની લેખન શૈલીમાં રહેતી સરળતા, સચેટતા સ્પષ્ટતા અને વસ્તુ નિરૂપણ કરવાની અને ખી પદ્ધતિ કેઈપણ સંપ્રદાયના વાચક વર્ગ માટે અદ્દભુત આહ્લાદ રૂપ બનશે તેમાં મને કશી જ શંકા નથી. ભગવાન મહાવીરના ભૂતકાલીન છવીસ જેનું સિંહાવલોકન કરતાં પૂ. આચાર્યશ્રીજીએ, એ જીવની કયાં કયાં કેવી ખલનાઓ થઈ, તેમ જ કયા ક્યા સદ્દગુણેની પારમિતા અર્થાત્ પારંગતતા સંપાદિત કરી, તેનું અત્યંત મને વેધક અને ઉપદેશ પ્રચૂર વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં આપ્યું છે. એટલે એક રીતે તે, આ ગ્રંથ મહાપુરુષની સાધક અવસ્થામાં અપૂર્ણતાઓ અને તે અપૂર્ણતાઓ ઉપર તેમણે કઈ રીતે વિજય પ્રાપ્ત કર્યો, તેના સળંગ ઈતિહાસ રૂપ બની જાય છે. - ભગવાન મહાવીરની છેલા તીર્થંકરને ભવની અપૂર્વ સાધના અને તે દરમિયાન તેમને થયેલા અનેક ઉપસર્ગોનું વર્ણન વાંચતાં આપણું રૂંવાડા ખડા થઈ જાય છે, અને આપણામાં એક પ્રકારની હતાશા ભરી લાગણી ઉત્પન્ન થાય