________________
૪૩
વિદ્વાન લેખક શ્રી મનસુખલાલ મહેતાએ આપેલી
શ્રદ્ધાંજલિ (પ્રથમવૃત્તિ ઉપરથી ઉદધૃત) આમ્રવૃક્ષ પર કેરી પાકીને તૈયાર થાય ત્યારે તેના રૂપ-ગુણની સમૃદ્ધિથી આકર્ષાઈને આવનારા પ્રશંસકેની પ્રશંસામાં, માત્ર તેના વર્તમાન લાવણ્ય અને સુગંધની જ પ્રશંસા હોય છે. પરંતુ એ કેરી જે વૃક્ષ પર તૈયાર થયેલી હોય છે, તે વૃક્ષને એ કેરી તૈયાર થતાં પહેલાં શી શી વિટંબણુ અને વ્યથા સહન કરવો પડયા હશે, તેને તેઓને ભાગ્યે જ ખ્યાલ આવે છે. આમ્રવૃક્ષના ફળની બાબતમાં તે આમ કરવું કદાચ પરવડે, કારણ કે માનવીને તે તેના વર્તમાન રૂપ-લાવણ્ય-સ્વાદની સાથે જ સંબંધ હોય છે. પરંતુ જેને આપણે આ અવસર્પિણી કાળના ચરમ તીર્થકર તરીકે માનીએ છીએ, તેમજ જે મહાન વિભૂતિએ જીવમાત્રને અભય આપ્યું, ચક્ષુ આપ્યાં, માર્ગ બતાવ્યું, શરણ આપ્યું, બોધ આપે અને ધર્મ આ એવા ધર્મદાતા, ધર્મદેશક, ધનાયક, ધર્મસારથિ અને ધર્મક્ષેત્રના ચક્રવતી એવા શ્રમણ ભગવાન મહાવીરનું માત્ર જીવન જાણીને આપણને તૃપ્તિ થતી નથી. મહાવીરે આ બધું કઈ રીતે પ્રાપ્ત કર્યું હશે? અને એ પ્રાપ્ત કરતાં પહેલાના ભામાં તેમના જીવે કેવી કેવી સાધના કરી હશે! કેવા કેવા દારુણ કષ્ટ અને અસહ્ય વેદનાઓમાંથી પસાર થવું પડયું હશે?