________________
પૂર્વભવમાં નયસારના છ મુનિઓના સત્સંગ અને ઉપદેશથી સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું. પછી મરિચિના ભવમાં શુદ્ધ સંયમ પાલન નહીં કરી શકવાથી ત્રિદંડ તાપસ બન્યા. તેના જ સંસ્કારે આગળ કેટલાય જન્મ સુધી તાપસી દીક્ષા લીધા કરી. “કલ્પસૂત્ર આદિમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન ઋષભદેવે ભરતના પૂછવાથી કહ્યું હતું કે, “મરિચિને જીવ આગળ ચાલીને ૨૪મા તીર્થંકર થવાને છે તે ચક્રવતી અને વાસુદેવ પણ થશે, ભરત ચક્રવર્તીએ રાષભદેવે કહેલી વાત મરિચિને સંભળાવી અને ભાવિ તીર્થકર રૂપે તેમનું આદર્શ સન્માન કર્યું. કહેવામાં આવ્યું છે કે આ સાંભળીને મરિચિને પિતાના કુળનું ઘણું અભિમાન થયું. તે જ કારણે તેમને ભિક્ષુક કુળમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થવું પડ્યું. મરિચિએ કપિલને “મારી પાસે જ ધર્મ છે એમ કહેવાથી ઉસૂત્ર-પ્રરૂપણ કરી તેના જ ફળ સ્વરૂપે અનેક ભવ કરવા પડ્યા. મિથ્યાત્વદશા પ્રાપ્ત થઈ અર્થાત્ કર્મોનાં ફળ તે તીર્થંકરના જીવને પણ ભેગવવાં જ પડે છે. પૂર્વ જન્મમાં ભગવાન મહાવીરના જીવે જે શુભાશુભ ઘટનાઓ બની, તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત ગ્રંથમાં વિદ્વાન આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ કરી છે. જેનાથી વાચકોને ઘણું જ અગત્યનું જ્ઞાન મળે છે
પરિશિષ્ટમાં ભગવાન મહાવીરનું પણું સંક્ષિપ્ત વૃત્તાંત અને તેમના ઉપદેશ વચનેને છાપીને ગ્રંથને પૂર્ણ કરવામાં આ છે.