________________
૪૦
શ્વેતાંબર અને દિગંબર બ ંને સંપ્રદ્યાયના ગ્રંથામાં એવા સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ જીવાના કલ્યાણની કામના અર્થાત્ ઉત્કટ ભાવનાથી તીથ કર જેવી જ મહાન પદ્મવીની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ દેવચંદ્રજીની સ્નાત્રપૂજામાં ખૂબ જ સરળ શબ્દોમાં લખ્યું છે ઃ
વિ જીવ કરૂં શાસનરસી, એસી ભાવ દયા મન ઉલ્લુસી; લદ્ધિ પરિણામ એહવું ભલું, નિપજાવી જિનપદ નિરમલ,
વાસ્તવમાં ચાર ઘનઘાતી કર્માંના ક્ષય થવાથી કેવળજ્ઞાન, કેવળર્દન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તીર્થંકર સ્થળે સ્થળે વિચરીને ઉપદેશ દે છે. પૂર્વજન્મમાં જે તીર્થંકર નામ ગોત્ર કર્મના બંધ કર્યાં છે. તેને જ ભોગવતા રહે છે બંધના સમયે જે સર્વ જીવાના કલ્યાણની ઉત્કટ ભાવના હતી, તેના ફળ સ્વરૂપે સર્વાદયતી'નું પ્રવર્તન કરે છે. સર્વ જીવોને ક્લ્યાણુમાગ બતાવે છે અને તેમાં પ્રવૃત્તિશીલ અનાવે છે.
ભગવાન મહાવીરના જીવનમાં ખૂબ જ કષ્ટ આવ્યા હતાં, તે તેમના પૂર્વ ભવોનાં ફળરૂપે સમજવાં જોઈએ. આ ષ્ટિથી તેમના પૂર્વભવાને સારી રીતે જાણવા જરૂરી છે. તેમના જીવે પૂર્વ જન્મમાં અનેક ચડતી પડતી જોઈ છે, શુભાશુભ કર્મોના બંધથી તેમને બેવાર નરકમાં પણ જવુ પડયુ હતુ, અનેક વખત તાપસ બનવું પડ્યું અને તેમાં જે પુણ્ય આચર્યું તેના ફળ સ્વરૂપે દેવગતિમાં ગયા. તેમના