SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પદની આરાધના વીશસ્થાનક તપના દ્વારા કરવામાં આવે છે, અને દિગંબર સમાજમાં પ્રત્યેક ભાવમાં પડશે કારણેની આરાધના સેળ દિવસે માં-પ્રતિદિન એક એક કારણને લઈને કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે: “વેરાવળ તિરથ રંજાના નિવવા અર્થાતવૈયાવચ્ચ-સેવાથી જીવ તીર્થકર નામશેત્ર ઉપાર્જન કરે છે બૌદ્ધ ગ્રંથમાં પણ બુદ્ધત્વ પ્રાપ્તિના કારણેની ચર્ચા જોવા મળે છે, દીઘનિકાય આદિ બૌદ્ધ ગ્રંથમાં મહાપુરુષોના બત્રીસ લક્ષણ બતાવવામાં આવ્યા છે. આ બત્રીસ લક્ષણ જે પૂર્વકૃત કર્મો દ્વારા પ્રાપ્ત થાય છે. તેની સંખ્યા દીર્ઘનિકાયમાં વીશ જ બતાવવામાં આવી છે. પ્રાચીન પાલી સાહિત્યમાં બારપારમિતાઓને ઉલ્લેખ મળતું નથી. આગળ ચાલીને ૧૦ પારમિતાઓનું વિવેચન જોવા મળે છે. બૌદ્ધ સાહિત્યના વિશિષ્ટ જૈન વિદ્વાન ડે. ભાગચંદ જેને તુલના કરીને લખ્યું છે કે જેનધર્મ અને બૌદ્ધ ધર્મમાં વર્ણવેલું તીથ કરત્વ અને બુદ્ધત્વ પ્રાપ્તિના નિમિત્તોને તુલનાત્મક દષ્ટિથી જેવાથી સ્પષ્ટ આભાસ થાય છે કે એક બીજાની પરંપરાથી બને સારી રીતે પરિચિત રહ્યા છે. દીઘનિકાયમાં ઉલેખિત નિમિત્ત પરસ્પર મિશ્રત્વ છે. જ્યારે અભિધર્મવિનિશ્ચય સૂત્રમાં તે અપેક્ષાકૃત અધિક સ્પષ્ટ છે. બંનેની પરંપરાઓને જેન પરંપરા સાથે મેળવવાથી જૈન પરંપરા ઘણી પ્રાચીન જોવા મળે છે, બૌદ્ધ પરંપરામાં બારમિતાએનું આલેખન ઉત્તરકાલીન છે.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy