SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રમણ ભગવાન મહાવીર રીતે યંગ્ય નથી. (૧) ભગવાન તીર્થંકરદેવ કરે એમ કરવાની શાસ્ત્ર આજ્ઞા નથી પણ ભગવાન કહે એમ કરવાની શાસ્ત્ર આજ્ઞા છે.” (૨) દીક્ષાના પ્રસંગમાં જેમ ભગવાન મહાવીરનું દૃષ્ટાંત આગળ કરવામાં આવે છે. તેમ ભગવાન 2ષભદેવ, નેમનાથ અને પાર્શ્વનાથ પ્રભુ વગેરે તીર્થકરે જેઓએ માતાપિતાની હયાતીમાં સંયમ ગ્રહણ કરેલ છે, તેમનાં દૃષ્ટાંતે કેમ આપવામાં નથી આવતા? ચારિત્ર મહનયને ઉદય તેમજ માતાજીને પિતાના માટે અનહદ સ્નેહરાગ જ્ઞાનથી જાણીને પિતે પૂર્વોક્ત અભિગ્રહ લીધે. એમ છતાં એ જ ભગવાન મહાવીરે કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ પછી ધર્મતીર્થની સ્થાપના પ્રસંગે અગીયાર ગણધ ને તેમજ કુલ ચાર હજાર ને ચારસો (૪૪૦૦) જેટલા તેમના શિષ્યોને એક સાથે દીક્ષા આપી, તે અવસરે તેમના માતા-પિતાની સંમતિ કેમ ન લીધી ? અથવા એમાંથી અનેક શિષ્યના માતા-પિતા હયાત છતાં ભગવતે એ મહા નુભાવને શા માટે દીક્ષા આપી ? | તીર્થંકર પરમાત્માના જીવનની એક ખાસ વિશેષતા હોય છે કે જે પ્રમાણે તેઓના કર્મોદયની પરિસ્થિતિ સર્જાયેલ હોય તે પ્રમાણે જ તેઓશ્રીને અભિગ્રહ ગ્રહણ કરવાની પ્રેરણા પ્રગટ થાય છે. આ બધી બાબતેને મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરવામાં આવે તે “ભગવાન મહાવીરે માત-પિતાની હયાતી સુધી સંયમન ગ્રહણ કરવું એ અભિગ્રડ લીધેલ હોવાથી વર્તમાનના મહાનુભાવે માટે પણ માતાપિતાની
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy