SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુની કાયાનું હલનચલન અને હર્ષાનંદ ૩૩૫ લાગ્યા કે મારાં ગર્ભની સંપૂર્ણ પણે કુશલતા છે. મારાં ગર્ભા શયમાં અવતરેલ સંતાનના અંગે પાંગોનું હલનચલન બંધ પડવાથી મને મારાં ગર્ભ માટે અમંગલના વિચારો આવેલા, પણ હવે એ સંતાનના અંગોપાંગનું હલનચલન ચાલુ છે. માટે કેઈએ શક–સંતાપ કરવાની જરૂર નથી આ સમાચારથી સિદ્ધાર્થ રાજા અને સમગ્ર રાજકુટુંબ તેમજ નગરની સમસ્ત પ્રજામાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. બત, ચેઘડી વગેરે વાજિંત્રે તેમજ ગાન-તાન વગેરે આનંદપ્રદના સાધને શરુ થઈ ગયાં. અધીકાઠીએ ઉતારેલી વિજાપતાકાઓ પુનઃ પિતાને સ્થાને ફરકવા લાગી અને સમગ્ર ક્ષત્રિયકુંડનગર આનંદ-આનંદમય બની ગયું. ભગવંતે ધારણ કરેલો અભિગ્રહ અને તેનું વિશદ વિવેચન માતાની કુક્ષિમાં બિરાજમાન ભગવંતે આ પ્રસંગને અનુલક્ષીને માતાજીના પ્રબલ નેહરાગના કારણે તેમજ સંસારમાં વર્તતા ગૃહસ્થજીવને માતૃભક્તિને બધપાઠ આપવા માટે અભિગ્રડ ધારણ કર્યો કે માતાપિતાની હયાતી પર્યત મારે સંયમને સ્વીકાર ન કરે. પરમાત્મા તીર્થંકર દેવના અભિગ્રહ અંગે કેટલાક મહાનુભાવે એ વિચાર કરે છે કે ભગવાન મહાવીરે માતા-પિતાની હયાતી પર્યત સંયમ ગ્રહણ કરેલ નથી, તે અન્ય દીક્ષાર્થી ભાઈઓ-બહેનિએ માતા-પિતાની હયાતી પર્યત ચારિત્ર ગ્રહણ કરવું એ ઉચિત નથી. પરંતુ એ મહાનુભાવોનો આ વિચાર અનેક
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy