SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સમયમાં વિદ્યમાન હતા. ભગવાન મહાવીરના પિતા અને મામા ભગવાન પાર્શ્વનાથના જ અનુયાયી હતા. દિ. દર્શનસાર ગ્રંથના અનુસાર તે મહાત્મા બુદ્ધ પણ પાર્થ પરંપરામાં જ પહેલાં દીક્ષા લીધી હતી. ભગવાન પાર્શ્વનાથ સમેતશિખર પર નિર્વાણ પામ્યા હતા. વીસ તીર્થકરમાં તેમની પ્રસિદ્ધિ સૌથી વધારે છે. દેશમાં પાર્શ્વનાથ મંદિર, તેમની મૂર્તિઓ સૌથી વધુ સંખ્યામાં પ્રસિદ્ધ છે. તેમના અંગેનાં તેત્રે અને સ્તવને વગેરે બધા કરતાં વધારે મળી આવે છે. ભગવાન પાર્શ્વનાથના કેટલાક સાધુ ભગવાન મહાવીરની પરંપરામાં સામેલ થઈ ગયા હતા. ભગવાન પાર્શ્વનાથે ચાતુર્યામ ધર્મનું પ્રવર્તન કર્યું હતું, જેમાંથી ચેથા યામ અપરિગ્રહ વ્રતમાં સંશોધન કરીને બ્રહ્મચર્યને ભિન્ન વ્રત બતાવીને ભગવાન મહાવીરે પંચમહાવ્રત રૂપી ધર્મને પ્રચાર કર્યો હતે. ઉત્તરાધ્યયનસૂત્રના જ ગૌતમસંવાદમાં પાર્થ અને મહાવીરની ધર્મ ભિન્નતા સ્પષ્ટ કરેલ છે. (યામ એટલે નિયમે, ) આજથી ૨૫૭૨ વર્ષ પહેલાં વીસમા તીર્થંકર ભગવાન મહાવીરને જન્મ થયેલ હતું. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. ત્રીશ વર્ષની ઉંમરે તેમણે ગૃહત્યાગ કરીને મુનિ દીક્ષા ગ્રહણ કરી અને સાડા બાર વર્ષ સુધી મહાન, (ટન) દુર્ગમ સાધના કરીને તેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ચતુર્વિધ સંઘની સ્થાપના
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy