________________
-
૩૬
કરીને ત્રીશ વર્ષ સુધી અનેક સ્થાનમાં ધર્મપ્રચાર કરીને આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં મધ્યમ પાવા (પાવાપુરી)માં નિર્વાણ પામ્યા હતા. તેના ઉપલક્ષમાં ભારતભરમાં અને વિદેશમાં પણ તેમને ૨૫૦૦ મે નિર્વાણ મહોત્સવ મના વવામાં ઉજવવામાં) બાવી રહ્યો છે.
ભગવાન મહાવીરનું જીવન અને તેમના ઉપદેશને સંબંધમાં અનેક ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે, પરંતુ તેમના
પૂર્વભવે અંગે વિસ્તૃત વિવેચન પ. પૂજ્ય આચાર્ય દેવેશ વિધર્મસૂરિજીએ કર્યું છે તેટલું કેઈએ આજ સુધી કર્યું નથી, એ ઘણું જ હર્ષની વાત છે. તેમણે ગુજરાતીમાં ભગવાન મહાવીરના પૂર્વવત છવીશ ભના સંબંધમાં એક સ્વતંત્ર ગ્રંથ જ લખે છે. જે સને ૧૯૬૮ માં પ્રકાશિત થયું હતું. તેને હિન્દી અનુવાદ જ ૨૫૦૦ માં નિર્વાણ મહત્સવ પ્રસંગે પ્રકાશિત કરવામાં આવી રહેલ છે. જો કે હિન્દી અનુવાદ જે થવું જોઈએ તે નથી થે. છતાં પણ હિન્દી પાઠકે માટે આ પ્રકાશન ઉપયોગી સિદ્ધ થશે.
વાસ્તવમાં અનેક જન્મની સાધનાના ફળ સ્વરૂપે મહાપુરુષ બને છે, તેથી તેમને પૂર્વજન્મની કથા પણ જાણવી આવશ્યક છે. જૈનધર્મમાં સમ્યકદર્શનની પ્રાપ્તિનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. તેથી તીર્થકરના પૂર્વ જન્મનું વર્ણન અહીંથી જ પ્રારંભ કરવામાં આવે છે, જ્યારે તેમને સર્વ પ્રથમ સમ્યદર્શન પ્રાપ્ત થયું હોય. (આમ તે અનાદિકાળથી