________________
ભાવિ પેઢી એમના એ વારસાથી વંચિત રહી તેને અફસેસ છે. તત્વાર્થસૂત્રનું ભાષાંતર કરાવાની મારી વરસેની ઈચ્છા પણ સમયની તાણે ફળવા ન પામી ખરેખર? જેનસમાજ માટે એક મોટા અફસની વાત હતી. કેમકે આવા તત્વજ્ઞાનીઓ જલદી જનમતા નથી માટે.
છેલ્લા ૨૦ વરસથી આવેલ સમય, બહુ જ વિષમ વિચિત્ર અને ભારે ચિંતા ઉપજાવે તે ચાલી રહે છે. આગમજ્ઞાનને પારે ૧૧૦ ડીગ્રીથી ઉતરીને સર્વસામાન્ય દષ્ટિએ જોઈએ તે ૧૦૧ ડીગ્રીએ આ દેખાય. સાધુઓના હાથમાં પિથી કરતાં પણ પુસ્તક અને છાપાઓના દર્શન વધુ જોવા મળે. જ્ઞાનપ્રાપ્તિની ગુરુ પરંપરા તૂટી. ભાવિસ્થિતિ આજે ઘણી ચિંતા ઉપજાવે તેવી બની છે. સાધુ મહાત્માઓ જ્યારથી વધુ પડતા જાહેર કાર્યો કરાવવા તરફ આગળ વધ્યા. અને શ્રાવક એગ્ય કાર્યો જાતે સંભાળવા માંડયા ત્યારથી ઘણી બધી પરિસ્થિતિઓ પલટાઈ ગઈ. જો કે બાહ્યદષ્ટિએ લાભે જરૂર થાય પણ ધર્મગુરુઓ સંઘાડા કરતા સમાજને વધુ અર્પણ થઈ ગયા. પરિણામે બીજા ક્ષેત્રોમાં ક્ષતિએ પહોંચી ગઈ ગમે ત્યારે અસલી પરંપરા પર પાછું ફરવું ખૂબ જ જરૂરી છે. શાસનના વિચારશીલ, સંયમી મહાત્માઓ અને જૈનસંઘના હિતેચ્છુ શ્રમણે પાસકે આ બંને અંગો મારી વાત ઉપર જરૂર ઉંડું ચિંતન મનન કરે !
પ્રાસંગિક એક વાતની સૂચના કરવાને ૧૫ વરસથી ઈચ્છી રહ્યો છું, તે એ કે ૫૦ વરસ પહેલાં શ્રેષ્ઠ જ્ઞાની