________________
બીજા સિદ્ધપદની આરાધના
૨૧૩ જેવા સાથે સ્વરૂપરમાણુતાને અવર્ણનીય આનંદ અનુભવે છે. વિશ્વમાં કે એવું સુખ કે એવો આનંદ નથી કે જેની સાથે એ સિદ્ધાવસ્થાને આનંદના અંશની પણ સરખામણ થઈ શકે. “હું આવા સર્વ સિદ્ધ ભગવતેને ત્રિકરણગે વારંવાર વંદના કરું છું, અને મારા આત્માને સિદ્ધપર્યાયની પ્રાપ્તિ સાથે વિશ્વના સર્વ જીવોને પણ આ સિદ્ધપર્યાયની પ્રાપ્તિમાં તપ-સંયમાદિની આરાધના દ્વારા મારે નિમિત્ત બનવું છે.” આવી સર્વોત્કૃષ્ટ ભાવના જે મહાનુભાવને આત્મમંદિરમાં ક્ષણે ક્ષણે ચાલુ રહે છે, તે આત્મા અવશ્ય તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરી ભવિવ્યમાં અરિહંત પદ પ્રાપ્ત કરે છે.
ત્રીજા પ્રવચન પદની આરાધના - ત્રીજુ પ્રવચન પદ છે. ધર્મતીર્થ, ધર્મશાસન અથવા પ્રવચન આ બધાય પર્યાયવાચક એક અર્થ વાળા શબ્દ છે. વિશ્વવતિ સર્વભાવોને અથવા અમુક ભાવોને યથાયોગ્ય વાસ્તવિક રીતે આત્મામાં બેધ કરનાર દ્વાદશાંગીમય સમ્યકુ યુત અને તે પ્રમાણે આચરણામય સમ્યકૂચારિત્ર, એ બન્નેને આ પ્રવચન પદમાં સમાવેશ થાય છે. પ્રવચનપદથી દ્વાદશાંગી તેમજ શ્રમણપ્રધાન ચતુર્વિઘ સંઘનું કથન કરવામાં આવે છે. તેની પાછળ આજ પ્રધાન આશય છે, કારણ કે દ્વાદશાંગીરૂપ સમ્યક્ તને આધાર તેમજ તેને અમલમાં મુકનાર શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ જ છે. અરિહંત પદની ગમે તેટલી ભકિત કરવામાં આવે અને સિદ્ધ પર્યાય