SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રમણ ભગવાન મહાવીર www તે પ્રાપ્ત કરવાની ગમે તેટલી ભાવના રાખવામાં આવે પરંતુ શ્રુતધર્મ (દ્વાદશાંગી) અને ચારિત્ર ધર્મ (ચરણ સિત્તરીકરણ સિત્તેરી) રૂપ પ્રવચન પદ્મની કિવા ધર્મતીર્થની જીવનમાં જે રીતે આરાધના વી જો એ રીતે આરાધના ન થાય તે અરિહ ંતની ભક્તિ અને સિદ્ધપદ્મની ભાવના છતાં સિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી કારણ હોય તો જ કાર્યસિદ્ધિ થાય છે. અરિહંત પદની આરાધના એ સિદ્ધપદનું પર પર કારણ છે. સિદ્ધપદનુ અન તર કારણ તો ધર્મતીની આરાધના જ છે, શ્રુતધ તેમજ ચારિત્રધર્મ રૂપી પ્રવચનપદ (ધમ તીથ)ની આરા ધના સિવાય કોઇ પણ આત્માને સિદ્ધપદની પ્રાપ્તિ થઇ નથી. વર્તમાનમાં થતી નથી, અને ભવિષ્યમાં થવાની પશુ નથી. અતીર્થ સિદ્ધ તરીકે ગણાતા મરૂદેવા માતા વગેરે મુકિતગામી આત્માઓને પ્રગટપણે ધર્મતીર્થનું આલંબન ન હોવા છતાં ધર્મતીના અવલંબનથી જે આરાધના થવી જોઇએ તે આરાધના થાય તેા જ તે આત્મા મુક્તિ પદના અધિકારી અને છે, અરિહંત પદની સફલતા સિદ્ધ પદની પ્રાપ્તિમાં છે માટે અરિહંત પદ્મ પછી સિદ્ધપદને સ્થાન અપાયું, પરંતુ સિદ્ધ પદની પ્રાપ્તિનું ઉપાદાન (અસાધારણ) કારણુ અરિહ તે પ્રવર્તાવેલ ધર્મતીર્થ (પ્રવચન પદ) જ છે. એ કારણે સિદ્ધ પદ પછી ત્રીજું સ્થાન પ્રવચન પદને આપવામાં આવેલ છે. અરિહંત વિના જેમ પ્રવચન નથી એ જેમ નિશ્ચિત છે તે પ્રમાણે (પ્રગટપણે કિના અપ્રગટપ) પ્રવચનપદની આરાધના વિના સિદ્ધપદ નથી, એ પણ એટલુ જ નિશ્ચિત છે.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy