________________
૨૧૨
શ્રમણ ભગવાન મહાવીર
શાંતિ માટે આવું લેકેત્તર ધર્મતીર્થ પ્રવર્તાવ્યું. મારો એ ભાગ્યેાદય ક્યારે જાગે કે હું પણ સંસ્કૃષ્ટ તપસંયમની આરાધના કરવા સાથે “સવિ જીવ કરું શાસન રસી” આ ભાવદયાના પરમ મંત્રનું મારા અસંખ્ય પ્રદેશે સતત ધ્યાન ધરતા ધરતા તીર્થંકર નામ કમને બંધ કરવા પૂર્વક ભવિષ્યમાં તીર્થકર પદ પ્રાપ્ત કરી ધર્મતીર્થની સ્થાપન વડે જગતના સર્વ જવેની કાતિક અવિચલ શાંતિની પ્રાપ્તિમાં નિમિત્ત બનું.” આવી ઉત્તમ ભાવના સતપણે ભાવનાર આત્મા તીર્થંકર નામકર્મને બંધ કરે છે. ભગ વાન મહાવીર પ્રભુના આત્માએ પચીશમા નંદનમુનિના ભવમાં આવી ઉત્તત્તમ ભાવનાના કારણે જ તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો હતે.
બીજા સિદ્ધપદની આરાધના વિશ સ્થાનકના વીશ પદે પિકી બીજુ સિદ્ધપદ છે. આત્માને આમાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એનું નામ સિદ્ધપદ છે, કેઈપણ સંસારી જીવાત્મામાં આ સિદ્ધપર્યાય તિભાવે અવશ્ય રહેલું હોય છે. ક્ષાવિકભાવે દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધનાને વેગ મળતાં તિભાવે એ સિદ્ધપર્યાય પ્રગટ થાય છે. એ પર્યાય પ્રગટ થાય એટલે જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, સંતાઅને સાદિ અનંત ભાગે અર્થાત્ કાયમ માટે સર્વથા અભાવ થાય છે, અને લેકના અગ્ર ભાગે રહેલા એ સિદ્ધ ભગવંતે ક્ષણે ક્ષણે કાલેઠના કાલિક ભાવેને જાણવા