________________
વિમલ રાજકુમાર
૧૪૫ સકામ નિર્જરાની જેટલી પ્રબલતા તેટલી શીશ્નપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ વાત નશાસનમાં પ્રસિદ્ધ છે.
પરંતુ કોઈવાર અકામનિર્જરા પણ અમુક આત્માને મોક્ષની અનુકૂળતાવાળા સાધને પ્રાપ્ત કરાવવામાં ઘણે સુંદર ભાગ ભજવે છે.
અમુક અવસ્થામાં વર્તતી અકામનિર્જરા ઘણા લાંબા સમય પર્યત અથવા કાયમ માટે અકામનિર્જરા જ રહે છે. પણ અમુક અવસ્થામાં વર્તતી અકામનિર્જરા સકામ નિર્જરાને શીધ્ર નજીકમાં લાવવાનું પણ સુંદર કામ કરે છે
એકવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ ગયા બાદ મિથ્યા ગયેલા છવની અકામનિર્જરા પણ સકામનિર્જરાનું સાપેક્ષપણું કારણ બને છે.
વિમલ રાજકુમાર પુત્રને જન્મ થયા બાદ રાજકુમારનું ચંદ્રમા સરખું સુંદર મુખમંડળ તેમજ બાલ્યવય છતાં તેનામાં વર્તતા નિર્મળ ગુણે વગેરેના કારણે એ રાજકુમારનું વિમલકુમાર એવું નામ સ્થાપન કરવામાં આવ્યું. લgવયમાં જ સર્વકલાનાં અભ્યાસમાં રાજકુમાર પારંગત થયા અને યોવન કાળનાં પ્રારંભમાં જ પ્રિયમિત્ર રાજાએ તેમને રાજ્યગાદી ઉપર બિરાજમાન કરી પોતાનું શેષ જીવન ધમરાધનમાં પૂર્ણ કર્યું.
વિમલરાજવી ન્યાયપરાયણ અને ભદ્રક પરિણમી છે. શ્ર, ભ.મ, ૧૭