________________
શ્રી વિજયધર્મસૂરિ
મૂળચંદ આઠ વર્ષની ઉમ્મરને થયું ત્યારે પિતાએ તેને નિશાળે ન મૂકતાં પોતાની દુકાને જ બેસાડ. મુળચંદનાં લક્ષણો જોઈ તેમને માનેલું કે આ છોકરે ભણીને કંઈ કરે તેમ નથી ! પણ વનના પોપટને પાંજરામાં પૂરાવું કેમ ગમે? સદા શેરીઓમાં ભટકનાર મુળચંદને એક ઠેકાણે બેસી રહેવું ગમતું નહિ. લાગ મળતાં જ તે દુકાનેથી નાસી જતે અને ગમે ત્યાં રમવા લાગી જાતે.
આ વખતે તેને જુગારની બુરી લત લાગુ પડી. પહેલાં તે પાઈ પૈસાથી જુગાર રમવા લાગે, પછી આના પર આવ્યું અને છેવટે અમુક રૂપિયાની હારજીત કરવા લાગ્યા. પિતાની આ ટેવની માતા પિતાને ખબર ન પડી જાય તેની એ ખૂબ સંભાળ રાખતે. એક વખત જુગારમાં તે મોટી રકમ હારી ગયે. આ વાતની તેના પિતાને ખબર પડી અને તેમણે મુળચંદને બહુ આકરા શબ્દોમાં ઠપકો આપે. | મુળચંદ નઠારા છોકરાઓની સોબતમાં ગમે તેટલે બગડ હતો પણ સ્વમાન તેને બહુ વહાલું