SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૪ પલટાવાથી, અવિવેકી સ્વચ્છંદી નિજ રીત, વિવેકી નિજ આત્મધર્મ રીતમાં બદલાવાથી સમ્યગ્દર્શનના આત્માનુભૂતિના સુપ્રભાતથી પ્રકાશિત થયેલી થનગનીત આત્મચેતના જ્ઞાનપ્રકાશનું સ્વાગત કરતાં ચહેકી ઊઠે છે કે... ‘નિન્દ અજ્ઞાન અનાદિકી, મીટ ગઈ નિજ રીત’, સુહા... આનંદઘનજીના સમકાલીન મહામહોપાધ્યાયજી યશોવિજયજીના મુખેથી પણ આવી જ સ્વાનુભૂત શબ્દ સુરાવલી સરી પડી હતી કે.... “આનંકી ઘડી આઈ, સખીરી આજ આનંકી ઘડી આઈ, કરકે કૃપા પ્રભુ દરિસણ દિનો, ભવકી પીડ મીટાઈ, મોહનિદ્રાસે જાગ્રત કરકે, સત્યકી સાન સુનાઈ, તન મન હર્ષ ન માઈ... સખીરી... આવા જ પ્રકારના અનુભવે સુફી સંતના મુખેથી પણ ઉદ્ગાર સરી પડ્યા હતાં.... ૧૫ ખુસરો જૈન સુહાગકી, જાગી પી કે સંગ, તન મેરા આ જ સંદર્ભમાં એક જ્ઞાનીએ કહ્યું છે કે.... “બુદ્ધિનો વધારો એ શક્તિ છે જ્યારે બુદ્ધિનો સુધારો એ સદ્ગુદ્ધિ છે” બુદ્ધિનો વધારો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે જ્યારે બુદ્ધિમાં સુધારો એ મોહનીય કર્મનો ક્ષયોપશમ છે. બુદ્ધિનું સત્ અર્થાત્ અવિનાશી સાથે જોડાણ થતાં તે સત્બુદ્ધિ બને છે જે અધ્યાત્મની પરિભાષામાં પ્રજ્ઞા કહેવાય છે. મન પિયોકા, દોઉ ભયે એક રંગ. ઘટ મંદિર દીપક કીયો, સહજ સુજ્યોતિ સરૂપ, આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ. સુહા...૨. ઉપરોકત પ્રકાશ કેમ કરતાં થયો ? તો સમાધાનમાં કહે છે. ઘટ (દેહ) મંદિરમાં એટલે દેહરૂપી દેવાલયમાં પરમાત્મ સન્મુખ બનેલ જે ભીતરમાં સહજાત્મ કર્તા કાર્ય રૂચિ બને છે ત્યારે ઉપાદાન કારણતા પ્રગટે છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy