________________
૧૪
આનંદઘન પદ - ૪
પદ - ૪
(રાગ - વેલાવલ) सुहागण जागी अनुभव प्रीत. सुहा. || निन्द अज्ञान अनादिकी, मिटगई निज रीत. સુel. III घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरुप ॥ आप पराइ आपही, ठानत वस्तु अनूप. સુE. Iરાઇ कहा दिखावू औरकुं, कहा समजाउं भोर ॥ तीर अचूक हे प्रेमका, लागे सो रहे ठोर. नादविलूद्धो प्राणकू गिने न तृण मृगलोय ॥ आनन्दघनप्रभु प्रेमका, अकथ कहानी कोय. સુET. ITI
સુહાગણ જાગી અનુભવ પ્રીત’ કડીના ગુંજનથી જનસામાન્યના સ્વાનુભૂત સાંસારિક દષ્ટાંત દ્વારા સ્વાનુભૂતિ સંપન્ન યોગીરાજ આનંદઘનજી ચેતનાના ચેતનની સાથેના સંબંધને આ પદ દ્વારા અભૂત રીતે ઉજ્જાગર કરે છે.
સુહાગણ જાગી અનુભવ પ્રીત સુહા, નિન્દ અજ્ઞાન અનાદિકી, મીટગઈ નિજ રીત. સુહા...૧.
નવોઢા જ્યારે પરણયાની પ્રથમ રાત્રીએ સુહાગનું સુખ માણીને રાત્રી વીતી જતાં સુહાગણ બનીને સવારે જાગે છે ત્યારે સંવેદેલા અનુભવની પ્રીતિ લઈને બદલાએલી બદલાએલી, આનંદિત બનેલી, પ્રીતમ (સુહાગ) અને પ્રીતમની સાથે જોડાયેલ સર્વની પ્રીતિથી બંધાયેલી, સંબંધિત થયેલી નૂતન ચેતનાથી ચેતનવંતી થનગનીત થયેલી હોય છે.
એજ રીતે યોગીરાજજીનો આત્મા પણ જયારે અનાદિના અંનતકાળના મિથ્યાત્વરૂપી અજ્ઞાનની અંધકારભરી ઘોર રાત્રીની નિદ્રા ટળી જતાં, દુર્મતિ, સન્મતિ-સુમતિ બની જતાં, મિથ્યાત્વનો અંધકાર સમ્યક્ત્વના પ્રકાશમાં
સુખ અને દુઃખ નો અભેદ આધાર આત્મા જ છે.