SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ 56 પરિશિષ્ટ - 3 ભોકતાજીવને ભોગવવાના ઉપયોગમાં આવે છે તેથી તે અપેક્ષાએ અભેદ ગણાવી શકાય છે. છતાં નષ્ટ (ભૂત) અને અનુત્પન્ન (ભાવિ) પર્યાયો જે વર્તમાનકાળમાં ભોગવવાના ઉપયોગમાં આવતા નથી તે ભોકતાભાવની અપેક્ષાએ ભેદરૂપ છે. આત્મા જે કાંઈ ઈચ્છે છે તે અભેદ અને નિત્ય જ ઈચ્છે છે. જ્યારે આત્મા જે માંગે છે તે અભેદતા અને નિત્યતા પુદ્ગલદ્રવ્યમાં તો છે જ નહિ. તો પછી જે જ્યાં છે જ નહિ એવાં પુદ્ગલદ્રવ્યમાંથી આત્માને નિત્યતા અને અભેદતા મળશે કેમ કરીને ? અભેદતા અને નિત્યતા તો જીવદ્રવ્યમાં પોતામાં જ છે. માટે જ જ્ઞાનીઓએ ઘૂંટી ઘૂંટીને કહ્યું છે કે......“પરના દૃષ્ટા બનવું જોઈએ અને સ્વના ભોકતા બનવું જોઈએ.” - “સ્વમાં વસ અને પરથી ખસ.” - ॥ ભાભવામ્ સર્વ સુદ્યમ્ - પરવશમ્ સર્વ દુ:વમ્ ॥ એ ક્યારે બને ? કર્તાભાવે, વિરુદ્ધ અશુદ્ધ ભાવો, વિભાવો, પરભાવો, મોહભાવો કાઢીએ; વિચાર વિકલ્પથી પર થઈએ. નિર્મોહી, નિરિહી, નિર્વિકલ્પ, નિર્વિચાર, નિષ્કષાય બનીએ; શુદ્ધ ભાવમાં પરિણમીએ ત્યારે આ બને ! મનુષ્ય યોનિમાં દયા, દાન, સેવા, પરોપકાર, ક્ષમા, પ્રેમ, કરુણા, વાત્સલ્યાદિ સાત્વિક ગુણોના સેવનથી હૃદય કુણુ-કોમળ-મુલાયમ બને છે અને ત્યાગી વૈરાગી થવાય છે. ભૂતકાળમાં કંઈ ને કંઈ તામસ, રાજસ ભાવ કાઢીને સાત્વિક ભાવો કર્યા હોય તેની નિશાનીરૂપે જ ત્યાગી, વૈરાગી બનાતું હોય છે. કોઈ પરભવના પુણ્યોદયે કરીને દોષો ટળે છે અને ગુણો પ્રાપ્ત થાય છે. છતાં એ પુણ્યતત્ત્વ પણ પુદ્ગલ છે કારણ ક પુણ્યકર્મ છે. ગમે એવું શ્રેષ્ઠ પુણ્ય હોય પણ જાત કઈ ? રૂપીની, વિનાશીની, અસત્ની, અનિત્યની ! તેથીજ પુણ્યોદય વખતે દોષો ટાળવા જોઈએ અને ગુણો કેળવવા જોઈએ. આગળ ઉપર દયા, દાન, સેવાદિ ગુણો પણ ટાળીને સ્વરૂપગુણો પ્રગટ કરી સંસ્કારગુણો ટાળીને નિર્ગુણી, ગુણાતીત (સંસ્કારગુણ - સાત્વિકગુણોની પેલે પાર સ્વરૂપગુણોના સ્વામી) થવાનું છે. સાત્વિક ગુણો વડે તામસ અને રાજસ ગુણો હટાવી અંતે સાત્વિકગુણોથી પણ પર થવાનું છે. ગુણાતીત કે નિર્ગુણી થવું એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું - કેવળજ્ઞાન પ્રગટ કરવું. કેવળજ્ઞાન પૂર્ણ હોવા છતાં સમગ્ર ચૈતન્યનો અંશ છે એટલે કે
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy