SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૩ 53 કેવળજ્ઞાન સત્તાસ્વરૂપ છે જ્યારે કર્મની સત્તા સાંયોગિક છે અર્થાત કર્મ સાંયોગિક સત્તાસ્વરૂપ છે. કર્મ સાદિ-સાન સાંયોગિક છે કેવળજ્ઞાન જ્યારે નિરાવરણ થાય છે ત્યારે કર્મનો સર્વથા વિયોગ થાય છે. પરિણામે કેવળજ્ઞાન વેદાય છે - અનુભૂત થાય છે. કેવળજ્ઞાનના પ્રગટીકરણે કર્મનો સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ક્ષાવિકભાવ છે. સંયોગસત્તા એ આવરણ છે, પડળ છે જેને સર્વથા હઠાવી સ્વ શુદ્ધ સ્વરૂપનું, ક્ષાયિક સ્વરૂપનું પ્રગટીકરણ કરવાનું હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ-અનંત, આધાર-આધેય ભાવથી જેમ અભેદ છે તેમ નિર્વિકારીપણાથી પણ અભેદ છે. દ્રવ્યથી દ્રવ્યનો આધાર આધેય ભાવ જુદો છે. જ્યારે દ્રવ્યના સ્વગુણપર્યાયનો આધાર આધેય ભાવ તરૂપ છે. દાખલા તરીકે તપેલીમાં દૂધ છે તો તપેલી એ આધાર છે અને દૂધ એ આધેય છે. પરંતુ તપેલી એ દૂધ નથી અને તપેલીમાં રહેલ દૂધ એ તપેલી નથી. આ એક દ્રવ્યથી બીજા દ્રવ્યનો આધાર આધેય ભાવ થયો, જે તરૂપ પ્રકારનો આધાર આધેય ભાવ નથી. આત્મામાં અનાદિ-અનંત અભેદતા આધાર આઘેચ ભાવથી છે. પરંતુ વિકારીપણાને કારણે સંસારીજીવના અનુભવમાં એ સ્વરૂપ આવતું નથી. જ્યારે સ્વરૂપ નિરાવરણ થાય છે ત્યારે નિર્વિકારીપણાથી જીવ દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ થાય છે. ભેદ વ્યવહારિક હોય છે જ્યારે અભેદ પારમાર્ષિક હોય છે. એક ક્ષેત્રે અવગાહના એટલે એક ક્ષેત્રે પરિણમન. પાંચેય અસ્તિકાયને સ્પર્શ, બદ્ધ અને તરૂપ પરિણમનથી સમજી લેવાં જોઈએ. અભેદના પ્રકાર : એના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) સ્પર્શ અભેદ સંયોગી (૨) બદ્ધ સંબંધ અભેદી સંજોગી અને (૩) તરૂપ સંબંધ પારમાર્થિક અભેદ. તેજસ-કાશ્મણ શરીર અને દારિક શરીર તથા આત્મપ્રદેશો આ બધાં આકૃતિથી દશ્યરૂપે એક સરખા દેખાય છે. તેમજ એક જ ક્ષેત્રે અવગાહના લઈને રહેલાં હોય છે. એથી તેઓ એકક્ષેત્રી કહેવાય છે પણ તે બદ્ધ સંબંધ
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy