SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ 2 પરિશિષ્ટ - ૩ છે. સંસારી જીવો પુદ્ગલ દ્રવ્યના સંગે આવાં બધાં સ્વભાવોને પામે છે. પુદ્ગલદ્રવ્ય જીવના સંગે ચાહે સચિત બન્યું હોય અગર જીવરહિત સ્વતંત્ર પુદ્ગલ સ્કંધ અચિત હોય ઉભયમાં પુદ્ગલ દ્રવ્યના પોતાના સ્વભાવો સરખા જીવના ભેદ: જેમ પુદ્ગલના સચિત અને અચિત એમ બે ભેદ છે તેમ પુદ્ગલસહિત કર્મયુક્ત જીવ તે સંસારીજીવ અને પુદ્ગલરહિત કર્મમુકત એવાં સિદ્ધ પરમાત્માના જીવ. આમ જીવના મુખ્ય બે ભેદ છે. એક આવરણયુક્ત છે અને બીજું નિરાવરણ અર્થાત્ આવરણમુક્ત છે. પરમાર્થ અભેદતા: જે કદી ઘૂસે નહિ અને જે કદિ નીકળે નહિ; જે કદિ આવે નહિ અને જે કદિ જાય નહિ; જે આવી મળે નહિ અને જે કદિ ટળી જાય નહિ એવાં જે આવવા-જવાના, મળવા-ટળવાના સ્વભાવવાળા નહિ હોય તેવાં જ્ઞાનાદિ આત્માના અનંત ગુણો છે. એ આવતા કે જતાં નથી. પણ હા એની ઉપર આવરણ (પડલ) ચઢતાં હોય છે. પુદ્ગલ દ્રવ્ય આકાશમાં અવગાહના લે છે પણ પુગલદ્રવ્યના ગુણ પુદ્ગલદ્રવ્યમાં હોય પણ આકાશમાં નહિ હોય. (૧) જીવનું સંસારીપણુ સાદિ-સાન પૂર્વકનું ભવિજીવ વિષે અનાદિ-સાન્ત છે. અભવિ વિષે સાદિ-સાન્ત પૂર્વક અનાદિ - અનંત છે. પુદ્ગલદ્રવ્ય સાદિ-સાન્ત પૂર્વક અનાદિ અનંત છે અર્થાત્ વિનાશી છે. ધર્મ અધર્મ આકાશાસ્તિકાયના પર્યાયો અનાદિ-અનંત, નિત્ય, અવિનાશી છે. જીવનું કેવળજ્ઞાન એ કાંઈ સંયોગ શરૂઆત નથી પરંતુ જે સાવરણ છે તેની નિરાવરણ થવાની શરૂઆત છે. નિરાવરણતા સાદિ-અનંત હોય છે. એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. સત્તાગત જે સાવરણ હતું તેને આવરણ હઠાવી પ્રગટીકરણ કરવાની ક્રિયા છે. (૫) મનુષ્યપણુ આદિ જીવનું જ સ્વરૂપ છે તે પુદ્ગલ નૈમિત્તિક સાંયોગિક સાદિ-સાન્ત સ્વરૂપ છે. (૬) કેવળજ્ઞાન એ સ્વરૂપે સત્તાસ્વરૂપ જીવમાત્રમાં રહેલ છે. અર્થાત
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy