SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ સાતે ય પ્રકારમાં ‘સ્યાત્’ એટલે ‘કથંચિત્’ અને ‘એવ’ એટલે ‘જ’ બધાં સાતે ય ભાંગામાં સર્વ સામાન્ય રીતે સંમિલિત છે. અહીં સ્થાત્ કે સ્યાદ્નો અર્થ શાયદ કે કદાચ નથી થતો એ ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે. સ્યાનો અર્થ કથંચિત્ એટલે કે કંઈ અથવા તો વિવક્ષિત પદાર્થની જે અસ્તિ નાસ્તિ આદિ અપેક્ષાએ, જે સંદર્ભમાં, જે દૃષ્ટિકોણ viewpoint થીવિચારણા થઈ રહી છે તે સ્વપર્યાય ચા પરપર્યાયાદિ અપેક્ષાએ એવો અર્થ થાય છે. તેથી જ પછી ‘જ' એવાં અવ્યયનો પ્રયોગ કરવામાં આવેલ છે. અર્થાત્ ‘જ’ અવ્યયથી વસ્તુસ્વરૂપની વિચારણાને નિશ્ચયાત્મક રૂપ આપવામાં આવ્યું છે કે જે અપેક્ષાએ વિવક્ષા થઈ રહી છે, એ અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ નિશ્ચયાત્મક આવું જ છે. છતાં ‘સ્વાત્’ અવ્યયના પ્રયોગથી સાથે સાથે એ સ્વીકાર કરાયો છે કે એ કથંચિત્ એટલે કંઈક છે પણ સર્વ નથી અને અન્ય અપેક્ષાએ વસ્તુસ્વરૂપ અન્યથા પણ હોઈ શકે છે. 6 પહેલા ભાંગામાં ‘છે’ - ‘અસ્તિ’થી અસ્તિત્વના અસ્તિત્વનું પ્રકાશન છે. સ્વસમય કહેતાં સ્વપર્યાય એટલે કે ‘સ્વ’ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (સ્વ ચતુષ્કય)થી વસ્તુના હોવાપણાની વિચારણા છે. એનાથી વિપરીત બીજા ભાંગામાં પરસમય કહેતાં પર પર્યાય એટલે કે ‘પર’ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (પર ચતુષ્કય)થી વસ્તુના ન હોવાપણાની વિચારણા છે. કહેવત છે ને કે ‘સિક્કાને બે બાજુ હોય છે.' સિક્કાની સવળી બાજુ, એ અસ્તિ ભાંગાથી થતી વિચારણા છે, જે વિધેયાત્મક અભિગમ છે. સિક્કાની અવળી બાજુ, એ નાસ્તિ ભાંગાથી થતી વિચારણા છે, જે નિષેધાત્મક અભિગમ છે. એ નાસ્તિત્વના નાસ્તિત્વનું પ્રકાશન છે. આ બન્ને પ્રથમ ભાંગા વિકલાદેશ Analytic Judgement છે. એ પૃથક્ વિચારણા છે. એ સિક્કાની તે તે બાજુએ રહીને વિધેયાત્મક અને નિષેધાત્મક અભિગમથી કરાતી પૃથક્ પૃથક્ વિચારણા છે. વસ્તુના વસ્તુત્વનો તેના અસ્તિત્વથી જેમ સ્વીકાર છે તેમ તેના નાસ્તિત્વથી પણ સ્વીકાર થતો હોય છે, જેને અંગ્રેજીમાં Negative to
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy